પૃષ્ઠ:Samarangan.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુરાપુરાનો સાથ
227
 



અજમલ ભેળા આવટે
પાંચે જોધ પ્રમાણ.
આજમ કોકો મારિયા
સૂબા મન સાઈ,
દળ કેતાં ગારદ કરે
રણ ઘણ રચાઈ.

આ દોહા, ‘ભૂચર મોરી’ના ટીંબા પર ઊભેલા અત્યારના થાનકની અંદર અજા કુંવરની સમાધ-દેરીની દીવાલ પર કોતરાયેલા છે. ઊંચા ઓટા ઉપર કરેલી એ દેરીમાં બે ખાંભીઓ જોડાજોડ છે : એક ઘોડેસવાર અને એક સતીનો હાથ. અજા કુંવરનાં રાણી ત્યાં આવી સતી થયાં કહેવાય છે. દેરીની નીચે જમણા હાથ પર નાગડા વજીરની ખાંભી છે ને તેની બાજુમાં ચાર ખવાઈ ગયેલી ખાંભીઓ પછી પાંચમો ઊંચો પાળિયો નાગડા બાવાનો છે. જેના પરથી કરેલું ચિત્ર આ પુસ્તકમાં અન્યત્ર આપેલ છે. દેરીના ડાબા હાથ પર પણ ખાંભીઓ છે, ને આ વંડીબંધ કરી લીધેલા થાનકની બહાર ઊભેલા ઊંચા અણકોતર્યા પથ્થરો એ નાગડાઓના પાળિયા તરીકે ઓળખાય છે.

આ થાનકની નજીક એક ઊંચો હજીરો છે ને તેના ઉપર જાળના ઝાડની છાયામાં સાત કબરો છે. આ સ્થળ મુગલપક્ષેથી માર્યા જનારા મોટા સરદારોનું સ્મારક છે.

હજીરાની નૈઋત્ય બાજુ એક સ્થળ ‘મુંગલા મોરીનો ટીંબો’ નામે ઓળખાય છે.]