પૃષ્ઠ:Samarangan.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનું પેટ !
233
 

 બોલે છે : “અજાજી કુંવર, મારો દોસ્ત નાગડો, ને વજીર જેસાભાઈ: અલ્લાહ, એમનાં રૂહને શાંતિ આપજે. પરવરદિગાર, જામ સતાજી પર રહમ કરજે ! રહમ કરજે ! રહમ કરજે !” એમ બોલતાં બોલતાં એની બેય આંખો ભીંજાય છે ને એ બોલે છે: “રહીમ ! ઓ રહીમ ! હું પોતે જ કાં રહી ગયો! કયા તકદીરતાલને માટે?”

એટલું બોલીને એ એક ઊંડી ગુફામાં પેસી જાય છે.

એક દિવસ ઝાડીનાં સૂકાં પાંદમાં ખખડાટ થયો. ગુફાને મોઢે આવીને કોઈ બોલ્યું: “બહાર આવો, સાંઈ, એ તો હું રાવ ભારોજી છું.”

વૃદ્ધવેશી ફકીર બહાર નીકળ્યો. ચકળવકળ ચારેય તરફ જોયું. આવેલ આદમીને હસીને કહ્યું: “અ રે રે રે ! મુઝફ્ફરશા ! બહુ બીઓ છો ને? શું આંહીં તે હવે બીક રાખવાની હોય ! આંહીં તો માના પેટમાં હો એવા નિધડક રહો.”

“સંગ્રામજી પધાર્યા?” બીકણપણાના ટોંણાથી છણછણી ઊઠતી ખોપરીને કાબૂમાં રાખીને ફકીરે પહેલો જ સવાલ કર્યો.

"કોણ, સંગ્રામો વાઘેર?' કચ્છના રાજા રાવ ભારાજીએ સામે પૂછ્યું: “પધારે તે ક્યાંથી? મૂરખો માછીમાર તે માછીમાર જ રહ્યો.”

"પણ બન્યું શું?”

"બન્યું એવું કે તમારા શત્રુઓને ગંધ ન આવતી હોય તોયે આવી જાય. આઘોપાછો થઈ ગયો હોત તો ઠીક હતું. અને છેવટે મુગલ ફોજ આવી પહોંચી ત્યારે નાકબૂલ કરીને એકવાર તો કેદ પકડાઈ ગયો હોત તોપણ પાછળથી છટકી શક્યો હોત, પણ માછીમાર તે આખરે માછીમાર ! રાજનીતિ આવડે ક્યાંથી ?”

“એમણે શું કર્યું?”

"બાખડી પડ્યો. મુગલ ફોજ ભેળો.”

“પછી?”

"પછી વળી બીજું શું? ખાબોચિયું થોડું દરિયાને પહોંચે ?”

“ત્યારે?”