પૃષ્ઠ:Samarangan.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
16
સમચંગણ
 

 આગળ કરી રહ્યાં હતાં.

“એને મારી પાસેથી લઈ જાવ.” વજીરે પોતાના ખોળા સુધી લળતા આવેલ બાળકને ધીમેથી દૂર તરછોડ્યો.

“કોઈક દિવસ તો બોલાવો છોકરાને ! દરબારે શું પેટનાં જણ્યાં સાથે ગેલ કરવાની યે મનાઈ કરી છે ?” જોમબાઈ મોં હળવું રાખીને હસવા-હસાવવા મથ્યાં.

“છોકરાંને શું બોલાવવાં ? કયા સવાદે હેત કરવાં ?”

“કાં ?”

“જણ્યો છે કેવો રૂડો તે તો જુઓ ! કે દરબારનો ને ધણીનો જ વાંક કાઢશો ?”

“કેવો જણ્યો છે ? માથું જરાક મોટું છે, નાક થોડુંક બેસી ગયું છે. ને જડબાં જરીક આઘાપાછાં છે. તે તો મોટપણે ઘાટમાં આવી જશે. નમણાંને તો ક્યાં લેવા જાવાં ! કોઈનાં માગ્યાં થોડાં મળે છે ? જેવો છે તેવો એ છે તો આપણાં બેનાં પેટનો ને ?”

“જોરારનો તો કેવોક હોય ?” વજીરે બબડી વાક્ય પૂરું કર્યું.

વજીરાણી જોમાંબાઈ પથ્થરમાં કોતરાઈ ગઈ. એની આંખોનાં અમી પડદાની અંદર સમાયાં. વજીરે તમંચો સાફ કરવાને બહાને એની સામે જોવું છોડ્યું. ને બાળક નાગડો, બાપથી ધકેલાયેલો તેમજ માના પાલવ સુધી પહોંચી ન શકેલો, આધાર વગરનો ઊભો થઈ રહ્યો.

“ફરીથી કહો તો !” આ વેણનો વક્તા પોતાનો ભરથાર સિવાય ઓરડામાં બીજો કોઈ તો ત્યાં નથી ને, તેની ખાતરી જોમાંબાઈએ શોધી.

“ફરીથી શું કહેવું હતું ? વજીરે તમંચાનો ઘોડો ઉઘાડ-પાડ ઉઘાડ-પાડ કરતે કરતે કહ્યું : “જામ પોતે જોઈ ગયા, જામના ઘોડેસવારોએ રોનક કર્યું...”

“ને તમે સાંભળી જ રહ્યા ?”

"ત્યારે શું કજિયો કરવા બેસું ?”

"સતો જામ, બાપ ઊઠીને બોલ્યા ?”