પૃષ્ઠ:Samayik Sutra.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દંસણધરાણં- એવા શ્રેષ્ઠ કેવળજ્ઞાન-કેવળદર્શનને ધારણ કરનારા,
વિયટ્ટ છઉમાણં- છદ્મ અર્થાત્ ઘાતકર્મથી રહિત,
જિણાણં-પોતે રાગ-દ્વેષને જિતનારા;
જાવયાણં-બીજાને રાગ-દ્વેષના જિતાવનારા,
તિન્નાણં- પોતે સંસાર સાગરથી તરી ગયેલા,
તારયાણં- બીજાને સંસાર સાગરથી તારનારા,
બુદ્ધાણં - પોતે જીવાદિ તત્ત્વોનો બોધ પામેલા,
બોહયાણં-બીજાને જીવાદિ તત્ત્વોનો બોધ પમાડનારા,
મુત્તાણં-પોતે કર્મોથી મુક્ત થયેલા,
મોયગાણં-બીજાને કર્મ-બંધનથી મુક્ત કરાવનારા,
સવ્વન્નુણં-સર્વજ્ઞ=લોકના સર્વ પદાર્થોને જાણનારા,
સવદરિસીણં-સર્વદર્શી= સર્વ પદાર્થોને દેખનારા, તથ
સિવ-ઉપદ્રવ રહિત, કલ્યાણ સ્વરૂપ,
મયલ-અચલ=સ્થિર સ્વરૂપ
મરુય-અરુજ=રોગરહિત,
મહંત-અનંત=અંતરહિત,
મક્‌ખય-અક્ષય=ક્ષયરહિત
મવ્વાબાહ-અવ્યાબાધ=બાધા-પીડા રહિત,
મપુણરાવિત્તિ-અપુનરાવૃત્તિ=જ્યાંથી ફરી પાછું આવવું નથી. અર્થાત્ જન્મ-મરણથી રહિત, (એવા)
સિદ્ધિગઈ નામધેયં-સિદ્ધિગતિ નામના, (મોક્ષ)
ઠાણં સંપત્તાણં-સ્થાન-પદને પામેલા ,
નમો જિણાણં-જિનેશ્વર ભગવાનને નમસ્કાર હો,
જિય ભયાણં.-ભય માત્રનો વિજય કર્યો છે. (એવા)