પૃષ્ઠ:Samayik Sutra.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજું નમોત્થુણં

બીજુ નમોત્થુણં શ્રી અરિહંતદેવોને કરું છું....
નમોત્થુણં અરિહંતાણં ભગવંતાણં... .સિદ્ધિ ગઈ નામ ધેય (સુધી બોલવું પછી...)
ઠાણં-એ સ્થાનને (મોક્ષ)
સંપાવિઉ-કામાણં-પામવાના ઇચ્છુકોને,

ત્રીજું નમોત્થુણં

ત્રીજું નમોત્થુણં મારા (તમારા) ધર્મગુરુ, ધર્માચાર્ય, ધર્મોપદેશક,
સમ્યક્‌ત્વરૂપી બોધિબીજનાં દાતાર, જિનશાસનના શણગાર એવી
અનેક સર્વ શુભ ઉપમાએ કરી બિરાજમાન, જે જે સાધુ-સાધ્વીજીઓ
વીતરાગદેવની આજ્ઞામાં જ્યાં જ્યાં વિચરતાં હશે, ત્યાં ત્યાં તેઓને
મારી (તમારી) સમય સમયની વંદના હજો.


પાઠ : આઠમો : સમાપ્તિ-સૂત્ર

(૧)

દ્રવ્ય થકી સાવજ્જ જોગ સેવવાનાં પચ્ચક્‌ખાણ,
ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે,
કાળ થકી બે ઘડી ઉપરાંત ન પાળુ ત્યાં સુધી,
ભાવ થકી છ કોટિએ પચ્ચક્‌ખાણ કર્યાં હતાં તે
પૂરા થયાં. તે પાળુ છું.

એવા નવમા સામાયિક વ્રતના - અંગીકાર કરેલા સમભાવરૂપી સામાયિક નામના નવમાં વ્રતના ,
પંચ અઈયારા-પાંચ અતિચાર