પૃષ્ઠ:Samayik Sutra.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જાણિયવ્વા-જાણવા યોગ્ય છે, પણ
ન સમાયરિયવ્વા-આચરણ કરવા યોગ્ય નથી.
તં જહા-તે અતિચાર આ પ્રકારે છે.
તે આલોઉં- તેની આલોચના કરું છું.
મણ દુપ્પણિહાણે-સામાયિકમાં મન માહું પ્રવર્તાવ્યું હોય, મનના દશ દોષ લગાવ્યા હોય.
વય દુપ્પણિહાણે- સામાયિકમાં વચન માઠું પ્રવર્તાવ્યું હોય, વચનના દશ દોષ લગાવ્યા હોય.
કાય દુપ્પણિહાણે-કાયા માઠી રીતે પ્રવર્તાવી હોય, કાયાના બાર દોષ લગાવ્યા હોય.
સામાઈયસ્સ સઈ અકરણયા- સામાયિકની સ્મૃતિ ન રાખવી. સામાયિક કરી છે કે નહિ તેનો પોતાને ખ્યાલ ન રહ્યો હોય.
સામાઈયસ્સ અણવટ્ઠિયસ્સ કરણયા – અવ્યવસ્થિત - વેઠની જેમ, જેમ તેમ કરેલ હોય, સમય પૂરો થયાં પહેલા જ સામાયિક પાળી લીધેલ હોય.
તસ્સ મિચ્છા મિ દુક્કડં- તેનું મારું પાપ મિથ્યા થાઓ.

(૨)

સામાઇયં-સામાયિક
સમ્મં-સમ્યક્- પ્રકારે, ભલી રીતે
કાએણં-કાયા-શરીરથી
ન ફાસિયં-સ્પર્યું ન હોય
ન પાલિયં-પાળ્યું ન હોય
ન તીરિયં-પાર ઉતાર્યું ન હોય
ન કિટ્ટિય-કીર્તન કર્યું ન હોય
ન સોહિયં-શુદ્ધતા પૂર્વક કર્યું ન હોય