પૃષ્ઠ:Samayik Sutra.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

(ઉપસંહાર)

જે-જે કોઈ
મે-મેં (મારા જીવે)
જીવા-જીવોની,
વિરાહિયા-વિરાધના કરી હોય, દુઃખ દીધું હોય,(કયા જીવો ?)
એગિંદિયા- એક ઇન્દ્રિયવાળા જીવ-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ,વનસ્પતિ. (કાયા)
બેઈંદિયા- બે ઇન્દ્રિયવાળા જીવ-પોરા, કરમિયાં, શંખ, છીપ, જળો, અળસિયાં વગેરે (કાયા અને જીભ)
તેઈંદિયા- ત્રણ ઇન્દ્રિયવાળા જીવ-કીડી, મકોડા, ધનેડા, કંથવા, માંકડ, જૂ વગેરે (કાયા, જીભ અને નાક)
ચઉરિંદિયા- ચાર ઇન્દ્રિયવાળા જીવ-માખી, મચ્છ૨, ડાંસ, વીંછી, ભમરા વગેરે (કાયા, જીભ, નાક ને આંખ)
પંચિંદિયા.- પાંચ ઇન્દ્રિયવાળા જીવ-જલચર, સ્થલચર, ઉરપર, ભુજપર, ખેચર, તથા મનુષ્ય, દેવ, નારકી વગેરે (કાયા, જીભ, નાક, આંખ ને કાન)

(હિંસા અને વિરાધનાના પ્રકારો)

અભિહયા-(૧) સામા આવતાં હણ્યાં હોય,
વત્તિયા-(૨) ધૂળ આદિથી ઢાંક્યા હોય,
લેસિયા-(૩) જમીન સાથે મસળ્યા હોય,
સંઘાઈયા-(૪) એકબીજાનાં શરીરને અથડાવ્યા હોય,
સંઘટ્ટિયા-(૫) સ્પર્શ કરી ખેદ પમાડ્યો હોય,
પરિયાવિયા-(૬) પરિતાપ=ચારે બાજુથી પીડા ઉપજાવી હોય,