પૃષ્ઠ:Sandeshika.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭



વ્યાપ્યો અધર્મ બધે ઘણો
કારમો માયાતણો;
આ દેશમાં
મન કલેશમાં
ચાલ્યાં વિનાશી ઘર્ષણો :
દીસે હરાયાં તીર્થ કેરાં તેજ હા,
ના આજ ગંગાસ્નાન તારે સ્હેજ હા,
ના પેટભર ભોજન મળે,
બાળ ભૂખ્યાં ટળવળે,
છે મેઘ સૂકાયાં બધે ગગનેજ હા !
એ સત્ય ખૂટ્યું ત્યાં બધે ખૂટેજ સુખનાં સાધનો,
એ સત્યને સ્થાપે ફરી આ વીરલો ગુજરાતનો !