પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૫૨ સંસ્કૃત સાહિત્યની કથાઓ થઇ તે મૂઢની માફક ઊભેા રહ્યા. હેના મ્હાંમાંથી એક પણ શબ્દ નીકળી શક્યા નહિ. શકુન્તલા પણ રાજાને પીકકા ચહેરા જોઈ સ્થિર નયને હેના તરફ તાકી રહી. આખરે પેાતાના મનને વેગ શમાવીને રાજા શકુન્તલા તરફ ધીમેથી ગદ્ગદ્ કડ઼ે કહેવા લાગ્યાઃ પ્રિયે! મ્હે હમારા ઉપર અતિશય જુલમ ગુજાર્યો છે. હાય! તે વેળાએ મ્હારી બુદ્ધિમાં અતિશય ભ્રમ પેદા થયા હતા, સ્મૃતિ ગુમ થઇ ગઈ હતી. મ્હેં અતિ ક્રૂપાથી હમારું અપમાન કરી રાજભવનમાંથી કાઢી મૂક્યાં, ત્યાર પછી કેટલાક દિવસે મ્હને સઘળે વૃત્તાંત યાદ આવ્યા. આ બધું શાથી બન્યું તે હું કહી શકતા નથી. ત્યાર પછીથી મ્હારા દહાડા કેવા દુ:ખમાં જાય છે એ મ્હારા અંતરાત્મા જાણે છે. હમારૂં દર્શન કરીથી આ અભાગીયાને થશે એમ મ્હને મુલે આશા નહેાતી. પણ અંતે પ્રભુએ સા સારાં વાનાં કર્યા છે. હવે હમે ગઈ ગુજરી ભૂલી જજો, હંમેશને માટે ભૂલી જજો; અને મ્હારા અપરાધ ક્ષમા કરશે. ’’ એમ એલતે એલતા અને રડતા રડતા રાજા શકુન્તલાના ચરણમાં ઢળી પડયેા. શકુન્તલા જે અત્યાર સુધી કાષ્ટની પૂતળીની માફક આશ્ચર્યમાં ગરક થઈ સ્તબ્ધ ઉભી હતી તે એકાએક ચમકી, અને રાજાને ઉઠાડી નમ્ર ભાવે ખેલવા લાગીઃ ‘‘ઉઠ્ઠા, પ્રાણનાથ ! ઉઠે. એમાં હમે શું કરે ? હમારે! કાંઈ વાંક નથી. મ્હારા દૈવનેા જ વાંક. નહિ તે તમ સરખા આવા દયાળુ પતિ કદી મ્હારા તરફ કઠોર થાય જ કેમ ?’’ રાજા ઉડ્ડયા. પણ આ અભાગણી હમને શી રીતે સાંભરી આવી ? ” શકુન્તલાએ હર્ષોાકથી રડતાં રડતાં પ્રશ્ન કર્યો. (( રાજાએ શકુન્તલાનાં અશ્રુ લૂછી નાંખી કહ્યું: “પ્રિયે! જીએ આ વીંટી. તે વખતે હમે ને એ દેખાડી શક્યાં ન હતાં, પણ કેટલાક દિવસ પછી જ્યારે તે અચાનક મ્હારા હાથમાં આવી પડી ત્યારે આપણે! સધળેા વૃત્તાન્ત મ્હારી સ્મૃતિમાં તાદૃશ્ય ખડેા થયા. એમ કહી પેાતાના હાથેથી વીંટી કાઢીને રાજાશકુન્તલાની આંગળીએ પહેરાવવા લાગ્યું. પણ શકુન્તલાએ ઉત્તર આપ્યાઃ આર્યપુત્ર ! હવે તે એ વીંટી ઉપર વિશ્વાસ નથી. એણે મ્હારી ખરાબી કરી .. છે. એને હમારી જ આંગળીએ રહેવા દ્યા.’’ મા, મા! આ ભાયડા કાણુ છે વારૂ ? એ મ્હને બેટા મેટા કહી વ્હાલ કરે છે.' બાળકે શકુન્તલાને પૂછ્યું. Gandhi Heritage Portal .. ..