પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અભિજ્ઞાન શકુન્તલા
૧૫૩
 

અભિજ્ઞાન શકુન્તલા ૧૫૩ “બાપુ ! હારા સદ્ભાગ્યને પૃષ્ઠ.’ શકુન્તલાએ ટુંકા જ ઉત્તર આપ્યા. એટલામાં માતિલ હસતા હસતે ત્યાં આવી પહોંચ્યા અને કહેવા લાગ્યાઃ “ મહારાજ ! દૈવયેાગે ધર્મપત્નીને અને હમારા સમા- ગમ થયા તથા પુત્રનું મુખદર્શન થયું તેથી હું હમને વધામણાં દેઉં છું. ભગવાન કશ્યપ પણ આ વૃત્તાંત જાણીને ઘણા આનંદિત થયા છે. તેઓ દર્શન આપવા બેઠા છે, માટે ચાલે. .. રાજાએ શકુન્તલાને કહ્યું: પ્રિયે ! પુત્રને લઇને ચાલે. હમને આગળ કરી ભગવાન શ્યપ મુનિનાં દર્શન કરવાં એવી મ્હારી ઈચ્છા છે.’ હું આર્યપુત્ર સાથે ગુરુને પગે લાગવા જતાં લજવાઉં છું.’ શકુન્તલાએ નમ્રતાથી જણાવ્યુ .. હે પરંતુ રૂઅે અવસરે તે સજોડે જવું ઘટિત છે, માટે ચાલા.” રાજાએ આગ્રહપૂર્વક કહ્યું. તે પ્રમાણે રાજા સહકુટુંબ માલિ સાથે ષિનાં દર્શન કરવા ગયેા. ત્યાં દેવમાતા અદિતિ અને કશ્યપ એકાસન ઉપર બેઠેલાં હતાં. હેમને સહકુટુંબ સાષ્ટાંગ પ્રણામ કરીને રાજા ઉભા રહ્યા. “ વત્સ ! ચિરંજીવી થઈ ભૂમડળનુ પાલન કરેા !” ઋષિએ પ્રસન્ન થઇ રાજાને આશીર્વાદ આપ્યા. “ વસે! હારા પતિ ઇન્દ્ર સરખા છે, પુત્ર જયન્ત સરખા છે, તું શચી સરખી થા.” ઋષિએ શકુન્તલાને આશીર્વાદ આપ્યા. પછી સર્વે યથેાચિત ખેઠાં. ત્યાર બાદ રાજાએ હાથ જોડી વિનયથી કહેવા માંડયું: “ ભગવન! આપની કૃપાથી આપની પાસે આવતા પહેલાં જ મ્હારી સર્વ મનકામના સિદ્ધ થઈ ગઇ અને પછી આપનાં દર્શન થયાં. તે આપને આ અનુગ્રહ અપૂર્વ પ્રકારને જ છે. ભગવન ! મ્હારા મનમાં એક સંદેહ રહે છે, હેનું નિરાકરણ કરવા આપ કૃપા કરશેા. આ આપના આજ્ઞાંકિત સેવકનુગાંધર્વ વિધિથી લગ્ન થયું હતું. પછી કેટલેાક સમય ગયે એનાં આંધવેા એને મ્હારી પાસે લાવ્યાં. પરંતુ મ્હને કઈ એ વાતનું લક્ષ રહ્યુ નહિ, તે મ્હે અને તિરસ્કાર કરી છાંડી. માટે એના તથા આપના સગાત્ર કણ્વ ઋષિના અપરાધમાં હું આવ્યો છું. પાછળથી આ અંગુઠ્ઠી મ્હારી નજરે પડયાથી મ્હારા સમજવામાં આવ્યું કે હે કણ્વ ઋષિની દુહિતા સાથે પૂર્વે લગ્ન કર્યું હતું. આ સર્વ ઘટના મ્હને બહુ આશ્ચર્યકારક લાગે છે.’ શ્યપ ઋષિએ જરા હસી ઉત્તર આપ્યા: Ganan Heritage Fortal