પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
અંક ૪ થો
સાર-શાકુંતલ


શકું૦— બાપુ ! સહવાસ તજનારીની પાછળ પાછળ કેમ આવે છે, વિયાઈને મરી ગયેલી મા વિનાના ! ખરે મેંજ તને ઉછેરી મોટો કીધોછે, પણ હવે હું વિનાના તાત તારી સંભાળ લેશે. તો તેની કને જા.

કણ્વ— વત્સે ! રો નહિ; સ્થિર થા, માર્ગને જો–

ઉંચી પાંપણનિ આંખ રૂંધિ બાઝે
આંસૂ તેને કર બંધ સ્થીરતાએ;
જોતાં તૂંતો નવ ઊંચિ નીચિ ભાંએ,
ચાલે તેથી પગલાં તે વિષમ થાએ. ૭૪

શારંગ૦— ગુરૂ ! અમારા સાંભળવામાં છે કે જળાશય સૂધી સ્નેહીને વળાવવા જવું; તો આ સરોવરનીર છે. અહીંથી પાછું ફરવું ઘટેછે.

કણ્વ— ત્યારે આ અંજીરીની છાયા તળે થોડીવાર બેસીએ.

(સર્વે બેસે છે.)

(સ્વગત) દુષ્યંતને યુક્ત સંદેશો શો કહાવું ?

શકું૦– (મોડું ફેરવી હળવે) સખી ! કમળપત્ર વચમાં આડું આવે પોતાના સહચરને નથી જોઈ શકતી એવી આતુર ચકવી આરડેછે એ મને અપશકુન જેવું ભાસેછે.

અન૦ –સખી ! એમ મા બોલ;

એપણ ગળતિ પિયુવણ રજની લાંબી વિષાદથી થાએ,
ગરવૂં પણ દુખવિરહનું અાશાબંધે સહિ શકાએ. ૭૫

કણ્વ— શારંગરવ ! તારે શકુંતલાને રાજા આગળ ઊભી કરી મારો સંદેશો જણાવવો.

શારંગ –આજ્ઞા કરવી ભગવન્ !

કણ્વ

તપનિયમજ ધન એહના ધણી અમે ને તૂં તો પોતે કૂળઊંચે.

સાચું એ વિચારિને;

સગાંએ કરાવી નહિ પણ સેજ થઈ રહી, એવી પ્રીતિ રૂડી તૂજ

વિષે અવધારિને;

સ્ત્રિયો બીજીસાથ આને, રાખજે સમાન માને, સ્નેહનીતિબુદ્ધિ વળી

હૃદયમાં તૂં ધરે;

એથી ઉપરાંત થવું, ભાગ્યને અધીન લહું, વધૂના સંબંધીજને

ઘટે ના કહેવું ખરે.૭૬

શારં૦–એ સંદેશો મેં લીધો.