શકું૦— બાપુ ! સહવાસ તજનારીની પાછળ પાછળ કેમ આવે છે, વિયાઈને મરી ગયેલી મા વિનાના ! ખરે મેંજ તને ઉછેરી મોટો
કીધોછે, પણ હવે હું વિનાના તાત તારી સંભાળ લેશે. તો તેની કને જા.
કણ્વ— વત્સે ! રો નહિ; સ્થિર થા, માર્ગને જો–
ઉંચી પાંપણનિ આંખ રૂંધિ બાઝે
આંસૂ તેને કર બંધ સ્થીરતાએ;
જોતાં તૂંતો નવ ઊંચિ નીચિ ભાંએ,
ચાલે તેથી પગલાં તે વિષમ થાએ. ૭૪
શારંગ૦— ગુરૂ ! અમારા સાંભળવામાં છે કે જળાશય સૂધી સ્નેહીને વળાવવા જવું; તો આ સરોવરનીર છે. અહીંથી પાછું ફરવું ઘટેછે.
કણ્વ— ત્યારે આ અંજીરીની છાયા તળે થોડીવાર બેસીએ.
(સ્વગત) દુષ્યંતને યુક્ત સંદેશો શો કહાવું ?
શકું૦– (મોડું ફેરવી હળવે) સખી ! કમળપત્ર વચમાં આડું આવે પોતાના સહચરને નથી જોઈ શકતી એવી આતુર ચકવી આરડેછે એ મને અપશકુન જેવું ભાસેછે.
અન૦ –સખી ! એમ મા બોલ;
એપણ ગળતિ પિયુવણ રજની લાંબી વિષાદથી થાએ,
ગરવૂં પણ દુખવિરહનું અાશાબંધે સહિ શકાએ. ૭૫
કણ્વ— શારંગરવ ! તારે શકુંતલાને રાજા આગળ ઊભી કરી મારો સંદેશો જણાવવો.
શારંગ –આજ્ઞા કરવી ભગવન્ !
કણ્વ–
તપનિયમજ ધન એહના ધણી અમે ને તૂં તો પોતે કૂળઊંચે.
સગાંએ કરાવી નહિ પણ સેજ થઈ રહી, એવી પ્રીતિ રૂડી તૂજ
સ્ત્રિયો બીજીસાથ આને, રાખજે સમાન માને, સ્નેહનીતિબુદ્ધિ વળી
એથી ઉપરાંત થવું, ભાગ્યને અધીન લહું, વધૂના સંબંધીજને
શારં૦–એ સંદેશો મેં લીધો.