પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
અંક ૫ મો
સાર-શાકુંતલ


રાજા— હો સત્યવાદી ! તમે કહો છો તેવાજ અમને જાણો; તોપણ એનો છળ કરવે અમને શું પ્રાપ્ત થવાનું છે?

શારંગ— અધ:પાત.

રાજા— પૌરવ અધઃપાતની ઇચ્છા કરે છે એ વળી માન્ય થાય તેમ નથીજ.

શા૨૦— શારંગરવ ! ઉત્તર ને પ્રત્યુત્તર એથી શું અહીં ? ગુરૂનો સંદેશો કહીદીધો, હવે આપણે પાછા વળો. (રાજાને)

રાખ કે તજ એને તું પત્ની એ છે તાહરી;
સ્વસ્ત્રીઉપર ભર્ત્તાની સત્તા સર્વોપરી ખરી. ૯૯

(સૌ ચાલતા થાય છે)

ગૌતમી !ચાલ આગળ.

શકું૦— કેમ ? આ કપટીએતો મને પૂરી ફસાવી ને તમે પણ મને અહીં રડતી મહેલી ચાલ્યાં જાઓ છો.?

(પાછળ પાછળ જાય છે)


ગૌતમી— (ઉભી રહી) વત્સ શારંગરવ ! આપણી શકુંતલા કરુણભાષણ કરતી પાછળ પાછળ આવે છે. ભર્ત્તા કઠિણ થઈ ત્યાગ કરે ત્યારે પુત્રીપણ શું કરે ?

શારંગ૦— (પાછું ફરી ક્રોધે) રે અમર્યાદ ! આમ સ્વતંત્રતા લેછે ?

શકું૦—(બીહીને થરથર ધ્રુજે છે)

શારંગ૦— શકુંતલા ! સાંભળ, રાજા કહે છે તેવીજ જો તું હોય તો પછી તારા પિતાને કુળમાંથી નિકળી ગયલી સાથે શો સંબંધ ? અને જો તું પોતાને શુદ્ધ વ્રતવાળીજ જાણતી હોય તો પતિના કુળમાં તારૂં દાસીપણું પણ યોગ્ય છે. તું અહીં રહે, અમે જઈયે છિયે.

રાજા— હો તપસ્વી ! તમે એનો કેમ વાંક કાઢો છો ?

શશિ કુમુદજ વિકસિત કરે, નલિનિનેજ રવિ જેમ,
અન્ય પરિગ્રહથી હઠે, વશિ સજ્જન તો તેમ. ૧૦૦

શારંગ૦— અન્યને સંગે પ્રથમનું વ્રત વિસરી ગયો તે તું અધર્મભીરૂ કેમ ?

રાજા— હું તમને પુછું કે એમાં ગુરુલઘુ શું ? જો હું એને નથી રાખતો તો ત્યાગદોષ લાગે છે ને જો હું રાખું ને મારી સ્ત્રી ન ઠરી તો પરસ્ત્રીસંગનો દોષ લાગે.

(શારંગરવ ને સૌ ચાલ્યા ગયા)

પુરોહિત— (વિચારીને) જો આમ થયું હોય તો આમ કરવું.

રાજા— કરવી આજ્ઞા.