પુરો૦— પ્રસવ થતાં લગી એ અમારે ઘેર રહેશે; તું પુછીશ કે કેમ, તો પૂર્વે સાધુઓએ આશીર્વાદ દીધો છે કે તારો પહેલો પુત્ર ચક્રવર્તી થશે માટે જો મુનિપુત્રીને તેવા લક્ષણનો પુત્ર થાય to એનો આદર કરી અંતઃપુરમાં પ્રવેશ કરાવવો; નહિતર એને પિતાને ઘેર જવું પ્રાપ્ત થશેજ.
રાજા— જેમ ગુરુને ગમે તેમ.
પુરો૦— (ઉઠીને) વત્સે ! મારી પાછળ ચાલી આવ.
શકું૦— ભગવતી વસુધે ! દે મને માર્ગ.
ઓહો ! આ શું ?
રાજા— શું છે?
પુરો૦— દેવ ! અદ્ભુત થયું.
રાજા— એવું તે શું છે ?
પુરો૦— દેવ ! કણ્વના શિષ્ય ચાલતા થયા કે–
બાલા હીણાં ભાગ્યને નિંદતી જ્યાં,
રોવા માડે બાહુ ઊછાળતી ત્યાં
રાજા— ને શું ?
પુરો૦—
સ્ત્રીને રૂપે અપ્સરા તીર્થ પાસે.
જ્યોતી તેને ચાલિ ઊપાડિ સાથે. ૧૦૧
રાજા— ભગવન ! એ વસ્તુનો મેં પૂર્વજ અનાદર કીધો છે, હવે વૃથા તર્ક શેા કરવો ? વિશ્રામ પામો.
પુરો૦— વિજય થાઓ.
રાજા— વેત્રવતી ! ઊંઘે ઘેરાયો છું, શયનભૂમિને માર્ગે ચાલ.
વેત્ર૦— આમ, આમ, દેવ !
રાજા— (સ્વગત) ગમેતેમ હો–
નથિ સાંભરતું પરણ્યો મુનિ કન્યાને ખરે ફરી પાછી;
એથી બળતું હઈઊં શંકે પણિયત હશે વળી સાચી. ૧૦૨
રક્ષિણો—(પુરુષને મારી) કહે, પચ્ચીમાં કોતરેલાં નામની રાજાની અંગુઠી આ તે ક્યાંથી મેળવી ?