પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક ૬ ઠ્ઠો
૪૭
સાર-શાકુંતલ

પશ્ચાત્તાપ કરે છે દેવ.*[૧]

બેઉ— ઠીક.(જાય છે)

(પડદામાં) પધારવું પોતે.

( રાજા વિદુષક અાવે છે.)

કંચુકી— આણીગમ આવે છે દેવ.અહીંથી જાઊં, પણ અાહા કેવો દીસે છે તે !

અલંકારવિધિવિશેષ છાંડી કડૂં એકલું રાખે
વામભુજે કંચનનું શ્વાસે ઓઠ રક્તહીણ દાખે;
અાંખ રાતિ ચિંતાજાગ્રણથી પણ નિજ તેજે સોએ,
ક્ષીણ છતે જ્યમ મહામણી તે સરાણઘસિયા હોએ ૧૦૮

(જાય છે.)


રાજા— (અહીં તહીં ફરી-સ્વગત.)

હીણું હૃદય રહ્યું ઉંઘતું જગાડતિ જવ પ્રિયા મૃગાક્ષી તે;
પરતાવો ભોગવવા, જાગતું અમણાં થયૂંછ બહુ રીતે. ૧૦૯

વિદૂ૦— (સ્વગત) એને શકુંતલાનો વ્યાધિ લાગ્યો છે. (પ્રગટ ) લતા મંડપમાં બેસવું વયસ્યે.

રાજા— સખા ! સગળું હવે સાંભરેછે શકુંતલાનું પૂર્વ વૃત્તાંત. મેં તેને છાંડી ત્યારે તું મારી પાસે નહોતો; વળી આગળ પણ તે કદી તેનું સ્મરણ કીધું નહિ, મારી પેઠે તું પણ તેને વિસરી ગયોતો કે શું?

વિદૂ૦— હું કેમ વિસરૂં ? છેલ્લું તેં કહેલું કે મેં હાસ્ય કીધું ને મેં માટીના ઢેફાં જેવી મારી બુદ્ધિયે સાચું માન્યું. હોશે, હોનાર તેજ બળવાન્ છે.

રાજા— વયસ્ય ! ત્યાગથી વ્યાકુળ થયેલી પ્રિયાની મારા જેવી અવસ્થા બળાત્કારે સાંભરી આવે છે ને હું અશરણ છું.–

તે આ બાળેછેજ જેવું બાણ, વિખનું ભરેલું –ટેક
અહીંથી છાંડી કે જવા માંડ્યું સ્વજનની વાંસે વિલપતી અને
બીતી દુરબળ દેહ રે, તે આ૦


  1. *દ્વેષિ રમ્યનો અમાત્ય સેવા પૂર્વે ત્યમ નિત ના લે,
    શય્યા ઉપર આળેટે બહુ નિદ્રાવણ નિશા ગાળે;
    સ્ત્રિયોસું બોલે વિવેકથી પણ નામ પ્રિયાનું વદાએ,
    પછી રહે ગળગળ્યો નમ્ર તેં ઘણો કાળ લજજાએ. ૧૦૭