પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક ૬ ઠ્ઠો
૫૧
સાર-શાકુંતલ

( પડદામાં ) તુજ કંઠતણું નવું તેહ, લોહિતરસ્યો હું તુને,
તરફડતો કરી હણીશ, વાઘ જેવા પશુને;
જો કે અારતભય મોટ, ટાળવે સદ્ય ખરે,
થઈ ધનુષસજ્જ દુષ્યંત, તાહરી વહાર કરે. ૧૨૦

રાજા— (ક્રોધ) શું મને ઉદ્દેશી બોલે છે ? ઉભો રહે ઉભો રહે રાક્ષસ ! તું અમણાં નહિ તેવો થઈશ. અરે અહીં તો કોઈ નથી.

( પડદામાં ) રક્ષ ! રક્ષ ! હું તને જોઉ છું, તું મને નથી જોઈ શકતો; બલાડાએ પકડેલા ઉંદર જેવો હું મારા પ્રાણને માટે નિરાશ છું.

રાજા— ગુપ્ત વિદ્યાનો તને ગર્વ છે, પણ મારૂં અસ્ત્ર તુને જોય છે. સ્થિર થા, તારા ઉપર શરસંધાન કરે છે તે તે છે કે

જે હણશે વધ્ય તૂને ને રક્ષશે દ્વિજ રક્ષ્યને,
હંસ તો દૂધ લેશે ને એભળ્યું પાણિ વર્જશે. ૧૨૧

(અસ્ત્ર સંધાન કરે છે એટલે વિદૂષકને છોડી દઈ માતલી આવી સામે ઉભો રહે છે.)

માતલી

કીધાછ ઈંદ્રે તુજ લક્ષ્ય માટે
દૈત્યો તું લે આ ધનુ તેહ સામે;
સ્નેહી પ્રતી સજ્જનનાં કૃપાળ;
ચક્ષુ પડેછે શર દારુણાં ન. ૧૨૨

રાજા— (અસ્ત્ર સંવરી) દેવરાજ સારથીને સ્વાગત !

વિદૂ૦— (બહાર આવી) જેણે મને યજ્ઞના પશુ જેવો માર માર્‌યો તેને આ રાજા સ્વાગતે રિઝવે છે ?

માતલી— (હસીને) આયુષ્યમાન્ ! ઇંદ્રે મને પોતાની પાસે મોકલ્યો છે તે દુર્જય નામના દાનવની સામાં યુદ્ધ કરવાને શસ્ત્ર લેઈ અા મોકલેલા રથમાં બેસી વિજયને અર્થે પ્રસ્થાન કરવું.

રાજા— અનુગ્રહ થયો મારો, ઈંદ્રે મને આટલી મોટાઈ આપી; પણ કહે માધવ્યને આમ કેમ કીધું ?

માતલી— (હસીને) મનના સંતાપવાળા દીઠા ત્યારે પછી કંઈ પણ નિમિત્તે ક્રોધ આણી આયુષ્યમન્‌ને સતેજ કરવા માટે મેં તેમ કીધું.

રાજા— (હળવે) માધવ્ય ! ઇંદ્રની આજ્ઞા ઉલ્લંધન કરાય તેવી નથી, તો જા ને સઘળું વર્ત્તમાન પ્રધાનને કહેજે.

વિદુ૦— આજ્ઞા ( જાયછે )

માતલી— આયુષમન્ ! રથે ચઢો.

( રાજા તેમ કરે છે. )