પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
श्री

सार-शाकुंतल.

મોટો દેવ સમાધિમગ્ન પણ જે કર્મે રમે જે કદા,
સૃષ્ટીની સગળી હરી ફરિવળી ઊપાવિદે સંપદા;
પૂર્ણજ્ઞાન પવિત્ર સાંબશિવ તે કલ્યાણદાતા સદા,
સત્યસ્નેહતણો કરે જય ભુસી ભાગ્યે લખી આપદા.




જે પેલી સૃષ્ટિ પાણી વિધિહુતવહ જે અગ્નિ જે હોમનાર,
જે બેઊ કાળ દાખે રવિ શશિ નભ જે વ્યાપ્ત ને શબ્દકાર;
ઉત્પત્તિસ્થાન છે જે પૃથિવિ પવન જે સાર છે પ્રાણિયોને,
એ એ પ્રત્યક્ષ આઠે મુરતજુગત તે ઈશ રક્ષે તમો ને.) ૧

સૂત્રધાર— આર્યે! શૃંગાર સિદ્ધ હોય તો અહીં આવવું

(આવીને) હું અહીં છું, આર્યપુત્ર ! કરવી આજ્ઞા.
સંસ્કૃત શાકુંતલનો પ્રાકૃત રચિયો પ્રમાણમાં સાર;
તે ગુજરાતી જનને દાખવવો છે પ્રથમજ આ વાર.

નટી— પ્રયોગ તો લોકને અતિપ્રિય થશે કાંત !

સૂત્ર૦— તે જ આજે જોવાનું છે.

નટી— તમે સંદેહમાં કેમ પડો છો પ્રિય !

સૂત્ર૦—કારણ વર્તમાન પ્રેક્ષકજનની પાત્રતા ને નાટકપાત્રની સિદ્ધતા ?

નટી—નિશ્ચિંત રહો; લોકની અભિરૂચિ જોઈલેઈ કવિશ્રી નર્મદાશંકરે આ ખેલ રચ્યો છે ને હાવભાવ વિષયમાં ઉત્તમ બોધ રાજેશ્રી ગણેશપંત ખાપરડેએ દીધો છે પાત્રવર્ગને.

સૂત્ર૦— એ તો છેજ, પણ

સંતોખે વિદ્વજ્જન તો જ ખરું લહું પ્રયોગનું જ્ઞાન;
શિખેલ રૂડાનાં પણ ચિત્તને હોયે પતીજ નિજમાં ન. ૨

નટી— ખરું છે કાંત ! પ્રથમ શું કરીશું ?

સૂત્ર૦— સભાજનના કાનને આનંદ આપવો એ વિના બીજું શું ?

નટી— તો કાંઈ, ઋતુને ગા