પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
અંક ૭ મો
સાર-શાકુંતલ

શકું૦— (સ્વગત) મારો મનોરથ ભણ્યો ભગવતીએ.

કશ્યપ— તપને પ્રભાવે આ સધળું ત્યાં કણ્વનાં જાણ્યામાં આવ્યું.

રાજા— માટેજ મુનિ મારા પર કોપાયમાન ન થયા.

કશયપ— તો પણ આ પ્રિય વર્તમાન જણાવવું યોગ્ય છે, કોણ છે અહીં હો ?

શિષ્ય— ભગવન આ હું છું.

કશ્યપ— ગાવવ ! તું અમણાજ આકાશમાર્ગે જઈને કણ્વને આ પ્રિય વર્તમાન કહે કે પુત્રવતી શકુંતલા દુર્વાસાના શાપથી મુક્ત થઈ; દુષ્યંતે સ્મૃતિમાં આવી તેનો સ્વીકાર કીધો છે.

શિષ્ય— જેમ ગુરુની આજ્ઞા.(જાય છે)

કશ્યપ— વત્સ તું પણ પુત્રપત્ની સહિત સખા ઇંદ્રને રથે ચઢી પોતાની રાજધાનીએ જઈ રહે.

રાજા— આજ્ઞા પ્રમાણે કરું છું ભગવન્ !

કશ્યપ

તુજ સકળ જનોને ઇંદ્ર દો વૃષ્ટિ ઝાઝી,
તું પણ બહુલ યજ્ઞે સ્વર્ગિને રાખ રાજી;
ક્રમશત યુગ ગાળો એમ અન્યોન્ય કૃત્યે,
સુખિજ થયલ બેઉ લોકકેરી સ્તુતીએ. ૧૪૧

રાજા— ભગવન્ ! યથાશક્તિ, કલ્યાણને વિષે યત્ન કરીશ.

કશ્યપ— વત્સ ! વળી શું બીજું તારૂ પ્રિય કરૂં ?

રાજા— અાથી પણ બીજું કંઈ પ્રિય છે ? જો વળી ભગવાન્ પ્રિય કરવાને ઇચ્છે છે તો મુનિ ભરતના વાક્ય પ્રમાણે થાઓ–

પ્રવર્ત રો નરપતિ લોકને હિતે,
સરસ્વતી શ્રુતિમહતી મહાતણે;
ચિદાત્મભૂઃ શિવ નિજશક્તિવેષ્ટિત,
પુનર્ભવ ક્ષિણ કરિ દે વળી મમ. ૧૪૨

(સૌ જાય છે)






  • રહો રાજાઓ પ્રજાના કલ્યાણમાં– રહો રા૦

મોટાઓના કલ્યાણમાં વેદસરસ્વતી.
સદાશિવ શેષુ શક્તિરહિત તે પુનર્ભય ટાળો -રહો રા૦
બોલે ભરતમુનિ એમ કૃપા થાઓ-રહો રા૦