પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ત્યારે નવલકથાનું હાર્દ શું જોઈએ ? નવલકથા કોના હાથમાં જશે – તેનો ઉપયોગ કોણ કેવી દ્રષ્ટિથી કરશે – તે જાણ્યાથી તેનું હાર્દ કેવું રાખીયે તો સફળબોધક થાય તે સમજશે.

૧. સત્યશોધક વર્ગ માનસશાસ્ત્રના અભ્યાસને અર્થે જ નવલકથાઓ વાંચે છે.

૨. સારશોધક વર્ગ નવલકથામાંથી સુંદરતાઆદિ પોતાને રુચતાં તત્ત્વ શોધે છે અને શેષભાગ પડતો મુકે છે.

આ ઉભય વર્ગ સાથે વ્યવહાર રાખવામાં ગ્રંથકારોને નવલકથા એ જ એક સાધન છે એમ નથી. અનેક આકારમાં તેમની સાથે સંબંધ કરાય છે; પરંતુ નવલકથાના ૯હાણામાં એ વર્ગ પણ ભાગ માગશે તે ભુલવા જેવું નથી, કારણ વાચનાર વર્ગમાં એ મુકુટમણિને સ્થાને છે. તેમની સંખ્યા ઘણી ઓછી હોય છે, પરંતુ તેમની પૂજનીયતા – તેમનું બ્રહ્મ વર્ચસ્ – સર્વમાન્ય છે.

૩. ત્રીજા વર્ગની સંખ્યા અગણ્ય છે. નવલકથા વાંચવાની વૃત્તિમાં નીચલાં કારણોમાંથી એક અથવા અનેક તેમને પ્રેરનાર હોય છે:

(ક) વાર્તાની રચનાનો જિજ્ઞાસા૨સ. અા રસ સર્વે બાળકોમાં હોય છે, સ્ત્રીયોનું તે લક્ષણ ગણાય છે, અને ચ્હડતી અવસ્થામાં ઘણાકમાંથી તે જતો નથી.
(ખ) મદન અને સ્ત્રીની વાર્તાઓને વશ થયેલાં ચિત્ત. અાવાં ચિત્ત નવલકથાઓ જેઈ વિહ્નલ બની જાય છે, અને એવી કથાએના અતિસંભોગથી અંતે નિર્વીર્ય થાય છે.
(ગ) કથાઓ વાંચવાનું વ્યસન – અફીણ, દારુ વગેરેનાં વ્યસનજેવું જ; તે છોડ્યું છુટતું નથી.
(ઘ) શાસ્ત્રીય અને કઠિન ગ્રંથો વાંચતાં પડતો શ્રમ. ઘણાંક ભણેલાઓ આળસુ હોય છે અને શ્રમ લેવાની તેમની અનિચ્છાને, વિદ્યાર્થી અવસ્થા છુટતાં વારનાર કોઈ હોતું નથી.
(ઙ) શાસ્ત્રીય વિષયનું અસંસ્કારી રસેન્દ્રિય.
(ચ) નિરક્ષરતા, અને નવરાશ.

ભણેલા તેમ જ અભણ વર્ગનો મ્હોટો ભાગ આ છેલા વર્ગમાં આવી જાય છે અને તેથી જ નવલકથાઓ અાજકાલ દિગ્વિજય પામી દેખાય છે. અા સર્વ વિચારી, ભિન્ન ભિન્ન સર્વ અાવા વાંચનારને જમે ઉધાર કરતાં