પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦


“ સમય ! – એ જ રચેછ બળાબળઃ
શરીરીને [૧] કહી એવું મધુરતા
શરદમાં ધરતા સ્વર હંસના
ભરી જ દે પિકકંઠ [૨] કઠોરતા ! ” [૩]
સમય એ જ રચેછ બળાબળ ! – સમય એ જ રચેછ બળાબળ !

"બળ–અબળ ! તમને રચનાર 'સમય' જ છે - બીજું કોઈ નથી ! માનવી ! ત્હારું અભિમાન નકામું છે. શઠરાય, ત્હારી હીકમત હારી નથી, પણ ત્હારો સમય હાર્યો છે.”

ચાલતાં ચાલતાં બાગનો દરવાજો આવ્યો એટલામાં પાછળથી દોડતો દોડતો સમરસેન આવી પહોંચ્યો.

“પ્રમાદભાઈ ભાઈસાહેબ બોલાવે છે આપને. નવીનચંદ્રભાઈ. આપ ઘેર વ્હેલા પધારો અને ભાઈસાહેબ અને પ્રમાદભાઈ પણ થોડી વારમાં ઘેર આવશે. અરે, રામસેન, જા નવીનચંદ્રભાઈ સાથે.”

આ આામ ચાલ્યા અને આ આમ ચાલ્યા. માથાપર પંખીયો ભમે તેમ આખા રસ્તામાં નવીનચંદ્રના મગજમાં કંઈ કંઈ વિચાર તરવરવા લાગ્યા.



  1. ૧. દેહીને-દેહધારીને.
  2. ૨. મારના કંઠમાં.
  3. મઘ- સર્ગ ૬


પ્રકરણ ૧૩.
રસ્તામાં.

પ્રત્યક્ષ ઈન્દ્રજાળ પરોક્ષ થયું. પણ તેણે રચેલા સંસ્કાર રહ્યા. દરબારમાંથી અમાત્યને ઘેર જવાનું. મંદવાડના સમયમાં ત્યાં પણ કંઈ કંઈ અનુભવ થયા હતા. એ ઘરમાં જવાનું તેથી તેના પણ વિચાર થવા માંડ્યા. 'અનુભવાર્થી' ને અભ્યાસની સવડ ખરેખરો થઈગઈ હતી,એટલે અભ્યાસ ઝડપબંધ વધતો હતો. અમાત્યના ઘરમાં થતાં શાંત સ્વપ્નને દરબારના ઉગ્ર સ્વરે ડાબી નાંખ્યું હતું. સઉથી પાછળ નીકળેલા – એકાંત ઘડેલા રસ્તા ઉપર એક સીપાઈને પાછળ રાખી ચાલતા નવીનચંદ્રને ચૈત્ર મધ્યાહ્ના પ્રચંડ સૂર્યના તેજ નીચે તપતા સળગતા બળતા વિશાળ અને શૂન્ય મેદાન વચ્ચેના લાંબા રસ્તાનો દેખાવ એ ઓથારની પેઠે ચાંપવા લાગ્યો અને દરબારમાં ડબાઈ ગયેલી થાકી ગયેલી ક૯પના શિથિલ પડી જઈ એ ઓથારના હઠ- સંભોગને જાતે જ અનુકૂળતા કરી આપવા લાગી. મનની સાથે શરીર પણ થાક્યું હતું. બાર વાગવાથી ભુખ પણ કકડીને લાગી હતી. સૂર્ય તનમનને