પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૧

મન આગળ તરી આવ્યું, છોકરાંને રોતો રોતો બાઝી પડ્યો અને ઘરમાં રાખ્યાં.”

"શેઠ આપને પણ આ બાબુના જેવું થયું છે. પણ સરસ્વતીચંદ્રને જ ચંદ્રલક્ષ્મીએ કાંઈ કહી મુક્યું નથી - તે બીચારા ગયા, અને મનાવાનો અવકાશ પણ તમારે નથી.”

“આપના મનમાં એમ આવ્યું કે એ પૈસાને લીધે આપનો સગો છે ! હવે એ સગપણ નથી. આપ એને મન બાપ છો - આપને જ મન એ પુત્ર નથી. હોય, એમ જ હોય તો !”

"શેઠ, આપના ઘરમાંથી એ ગયો તેની કાંઈ ફીકર કરશો નહી. એને સોંપેલી અને બીજી વસ્તુઓ – ઘરની સંભાળજો. ઘરમાંથી કાંઈ ગયું લાગે તો મને ક્‌હેજો. હું ભરી આપીશ. ”

“શેઠજી, જાઉં છું. આપ મ્હોટા માણસ છો. વધારે ઓછું બોલાઈ ગયું હોય તો ક્ષમા કરજો. ૨જા લેઉં છું.”

બોલતાં બોલતાં ચંદ્રકાંતે પાઘડી પ્હેરી. ઉઠ્યો, અને ચાલવા માંડ્યું.

શેઠે હાથ પકડી તેને બેસાડ્યો.

“ચંદ્રકાંત, ચંદ્રકાંત, આમ શું કરે છે ? મને એનો પત્તો આપ. ત્હેં મ્હારું ખશી ગયેલું કાળજું ઠેકાણે આણ્યું છે. હવે પુત્રવિયોગથી ફરી ખસશે તો પછી ઠેકાણે નહી આવે – હોં.”

“શેઠ, ઘરમાં છે ઠેકાણે લાવનાર. હું ખરેખર કહું છું કે મને ભાઈની ખખબ૨ નથી. મને ખબર હત તો હું આમ જવા ન દેત. હું મ્હારી મેળે હવે એને શોધાશે એટલું શોધીશ, એના જેવો થઈને આથડીશ, મરજી પડે તે કરીશ. એમાં કોઈને શું ? આપ હવે આનંદ કરો – ઘરમાંથી કાંટો ગયો - એની કનવા ક્‌હાડી નાંખો. મ્હારું હૈયું ભરાઈ આવ્યું છે - બસ હવે મને જવા દો.” શેઠનો હાથ તરછોડી નાંખી બારણું ફડાક ઉઘાડી ચાલતો થયો. ગુમાન બારણામાં પેઠી.

શેઠ ઘેલા જેવા બની લવતા હતા – “દુઃખી હું તેથી કોને શું ? હેં ! શું એમ જ ? શું તું દુઃખી તેનું મને કાંઈ નહીં ?” – “દુઃખી હું તેથી કોને શું ?" “હેં !"- "નહીં જોવું – નહી રોવું – અફળ આંસુ ન શીદ લ્હોવું ?” “પિતાજી, રોવું તે શાને ? ” – “ભુલી જઈને જનારાને" "દુઃખી હું તેથી કોને શું ?” – હેં – મ્હારો જ વાંકસ્તો” – “ચંદ્રકાંત, મ્હારો ભાઈ મને આણી આપ.” જુવે તો ચંદ્રકાંત ન મળે.

“ભાઈ ભાઈ !"

ગુમાન પાસે આવી ઉભી -“- ભાઈ તો ગયા.” ગુમાનને દેખતાં જ શેઠ ઉઠ્યા અને એક બે લાતો એવી મુકી કે ગઈ ગરબડતી આઘે અને