પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૩

જોવા વારો ન આવે અને શઠરાય સામે ઉલટેલી ભરતી ઓટરૂપ થઈ એને જ અનુકૂળ પાછી ન થઈ જાય તે પણ બુદ્ધિધનનું લક્ષ્ય હતું.

આવાં આવાં કારણોથી વર્ણવ્યા પ્રમાણે શિક્ષા અને ક્ષમાનો યોગ્ય લાગતો સંકર બનાવી તેની માત્રા શિક્ષાપાત્ર વર્ગને પાવાનો નિર્ણય ભૂપસિંહની પાસે થયો. એ નિર્ણય પ્રસિદ્ધ થતાં, પ્રજાનો કોપ અને અનુકંપ - ઉભય સંતુષ્ટ થશે અને મહારાણા ઉપર પ્રજાના ચિત્તમાંથી પ્રીતિનો અને મુખમાંથી 'વાહ ! વાહ !' ને વર્ષાદ વર્ષશે એવી કેટલાક પ્રમાણમાં ત્રિકાલ-જ્ઞાની બનેલા અમાત્યે ખાતરી કરી આપી. સિદ્ધવચન પેઠે અમાત્યના વચને ખરી પડવા નિર્મેલી શ્રદ્ધાને જન્મ આપ્યો.

બુદ્ધિધન રાજનીતિમાં પ્રવીણ છે, રાજ્યકાર્યનો ધુરંધર થવાની યોગ્યતા ધરાવે છે, અને ઈંગ્રેજી વિદ્યા વિના આ સર્વે પરિણામ આવી શકે છે એટલી નવીનચંદ્રની ખાતરી થઈ પરંતુ હજી તેને સર્વતઃ સંતોષ ન થયો. એટલામાં પ્રસ્તુત વિષય બદલાઈ નવીન વિષય નીકળ્યો. વિપરીત પક્ષનો નિર્ણય પુરો થયો. આત્મપક્ષમાં પારિતોષિકનું લ્હાણું લ્હાવાનું બાકી હતું. આ આનંદક૨ વિષયમાં સર્વેને વધારે રસ પડ્યો અને બુદ્ધિધને નવા 'કેબિનેટ્'ની (શિષ્ટાધિકારી–મંડલની) સંઘટના કરવાનો આરંભ કર્યો. સર્વ સાવધાન થઈ ગયા.

ક૨વતરાયવાળી જગા તર્કપ્રસાદને આપવાની એમાં કાંઈ વાંધો ન હતો. મહાલકરીઓના ઉપરીનું કામ શઠરાય પોતાના હાથમાં રાખતો; બુદ્ધિધને તે કામ જુદું પાડ્યું અને નરભેરામને 'મહાલખાતાનો ઉપરી' બનાવ્યો. આવી જગાથી નરભેરામને સર્વે રીતે સંતોષ વળ્યો. બહુ દિવસ રાણાની પાસે રહેવાથી વિશ્વાસુ છતાં વિશ્વાસઘાત કરવા લલચાવાનો પ્રસંગ નરભેરામને ન આવે એવી બુદ્ધિધનની અંતિમ ઈચ્છા હતી તે તૃપ્ત થઈ. ક્‌હાડેલી જગાને વાસ્તે નરભેરામ યોગ્ય હતો એ બાબતમાં મતભેદ પાડવાનો સંભવ ન હતો. નરભેરામની મૂળ જગા પ્રમાદધનને આપવાની ઠરી. દુષ્ટરાયવાળી જગા જયમલને આપી અને વિજયસેનને એનો ઉપકારક (એસિસ્ટેણ્ટ) બનાવ્યો. વિદુરપ્રસાદને તરત લીલાપુરવાળી જગા પર મોકલવાનું ઠર્યું. પરગામની નીમણુક એને પસંદ ન પડી પણ તરત બોલ્યો નહીં: કાંક જયમલ્લની ઈર્ષ્યા તેના મનમાં થઈ બુદ્ધિધને પોતાનું જુનું કામ કર્યા જેવું, અમાત્ય એ જગા અને નામ ક્‌હાડી નાંખવાં, અને અમાત્યના કામ સિવાય કારભારનું બાકીનું બધું કામ કારભારીનું નામ ધારી બુદ્ધિધને જ કરવું. આ વ્યવસ્થા સર્વને ગમી.

આટલી પ્રસિદ્ધ નીમણુંકો થઈ નવીનચંદ્રના ઉપર બુદ્ધિધનની પ્રીતિ