પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦

સ્મરણશક્તિને હલમલાવી આ કવિતાનું અનુસંધાન સંભારી ક્‌હાડયું. નદીની ઉપમેય સત્સ્ત્રીનું ઉપમનન સંભારવા માડયું.

“Silent and chaste she steals along,
[૧]“With gentle yet prevailing force,
“Intent upon her destined course,
“Graceful and useful all she does,
“Blessing and Blest where'er she goes,
“Pure-bosomed as that watery glass,
“And heaven reflected in her face.”
“મ્હારી ગુણિયલ પણ આવી જ કલ્યાણમૂર્તિ છે !”

વિદ્યાચતુર ગયો.

ગુણસુંદરી નીચે ઉતરી ને માનચતુરે પુછયું.

“ કેમ ગુણસુંદરી ! આ આંકડાવાળાઓ ફેરા ખાય છે તેનું તમારી નણદ પતાવશે કે નણદોઇ? ક્‌હેતાં'તાંની કે આપણે માથે નહી પડે ?"

“ના જી, નહીં પડે આપને માથે.”

“ ત્યારે કોને માથે પડશે ? આંકડાવાળા મુકી દેવાના હતા ?”

“આપે પરિણામ થયે જોઇ લેવું, નણંદ નણદોઇ નહી આપે ત્હોયે તમારા ઘર ઉપર ભાર નહી પડે.” વધારે પુછાપુછ અટકાવવાના હેતુથી ગુણસુંદરી ચાલી ગઇ અને કામમાં પરોવાઇ.

ડોસો હડપચી ચંચવાળતો ઉભો રહ્યો.

“આણે હવે પલ્લું આપવું નક્કી ધાર્યું. એનું પલ્લું નીકળે એટલે મ્હારા ઉપર ભાર ન પડવાનો એવો એના બોલવાનો મર્મ સમજવો. એ મ્હારી પાસે સાચું બોલી – કેમ જુઠું ક્‌હેવાય? સાચું બોલી એણે મને છેતર્યો. એ પલ્લું આપવા ઉભી થશે એ કલ્પના પણ કેમ થાય ? કલ્પના ન થઇ તે હવે ખરું પડવા વખત આવ્યો. એની કુલીનતાથી હદ વળી ગઇ. નણંદની દીકરી પરણાવવા ભોજાઇ આપ પલ્લું ક્‌હાડે એ અપૂર્વ વાત – જુની આંખે જોવાનો નવો ખેલ ! હું એ થવા દેવાનો નથી. એ આટલી કુલીનતા બતાવે – ઉદારતા બતાવે – ને મ્હારા ઘરનાં ગધેડાં તે સમજે પણ નહી ! પણ હું યે સમજ્યાં છતાં ન સમજ્યા જેવો રહું તો હું તો ગધેડાનો સરદાર !”


  1. *Cowper.