પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭

શિખરો ઉપર તેમ તળેટી ઉપર વર્તમાન હતાં તેની પરિગણના જેવું સરસ્વતીચંદ્ર પાસે થયેલું તે આપણે જાણીયે છીયે. આ ચાર જાતના પ્રાણોમાંથી વિષ્ણુદાસ બાવાનો પંથ કેવા પ્રાણને ધારણ કરતો હતો તે જાણ્યાથી એ બાવાનો પરિચય કરવા આપણે અધિકારી થઈશું.

યોગ અને કર્મ, ઉભય આ યુગમાં ક્ષીણ થઈ ગયાં છે છતાં, તેમના ઉપર આર્યોની સાહજિક પ્રીતિ છે. તેમાં ભેદ એવો છે કે કર્મમાર્ગમાં પ્રવર્તવા શ્રદ્ધા અને અવકાશાદિ હોય તો એ માર્ગ સાધ્ય હોવાથી હજી પ્રવર્તે છે, અને યોગની સાધના એ ઐન્દ્રજાલિક પ્રયોગ જેવી હોવાથી તેનો પ્રવર્તક ક્વચિત જ મળી આવે છે અને જયાં મળી આવ્યો લાગે છે ત્યાં અસાધારણ આદર પામે છે. જ્ઞાનમાર્ગની વાર્તા સર્વ બુદ્ધિઓને ગમ્ય છે; અને કર્મમાર્ગનાં ફળની વાટ સ્વર્ગે પ્હોચતા સુધી જોવાની છે, અથવા સાધકના જીવનમાં કાંઈ મ્હોટો ચમત્કાર થાય અને તેની સાથે કર્મસાધનાને કારણ થયેલી માનવાનો શ્રદ્ધાળુને પ્રસંગ આવે, ત્યાંસુધી કર્મસાધનાનું ફળ શીઘ્ર અને હસ્તગત થતું નથી; તેનાથી વિરુદ્ધ પ્રકારે જ્ઞાનના સાધકને યથાશક્તિ ફળ મોડું વ્હેલું પણ નિશ્ચિતપણે આ જ ભવમાં મળે છે, એ જ્ઞાનમાર્ગની લોકપ્રિયતાનું આ ઈંગ્રેજી યુગમાં ઉઘાડું કારણ છે. પરંતુ એ જ્ઞાનમાર્ગ આર્ય સંપ્રદાય પ્રમાણે તે વેદાંત જ છે અને તેનું રહસ્ય પામતા સુધી પ્રયત્ન કરવાનું ધૈર્ય રાખનારા વિરલ હોય છે, માટે જ્ઞાનમાર્ગના પંથમાં બે ઉપપંથ છે એમ કહીયે તો ચાલે. એક ઉપપંથ સાધારણ ઉપપંથ જ લોકપ્રિય છે અને આપણા જ્ઞાનમાર્ગના મિત્રો અને શત્રુએ સર્વે પ્રાયશઃ આ સાધારણ ઉપપંથ સાથે જ મિત્રતા કે શત્રુતા રાખે છે. હવે આ સર્વ માર્ગોમાં – જ્ઞાનમાં, કર્મમાં, અને યોગમાં, સાધન જોઈએ છીયે, પણ સાધનનો પણ ખપ ન પડે એવો ચોથો ભક્તિમાર્ગ આર્યોએ પ્રવર્તાવ્યો છે; અને બુદ્ધિ આદિ કાંઈ પણ સાધન ન હોય તેને વાસ્તે સ્વર્ગનાં દ્વાર ઉઘાડવાનો આ માર્ગ અભિલાષ રાખે છે, આ જગતમાં સ્વર્ગના અમૃત જેવું અમૃત સાધનહીન સ્ત્રીપુરુષોમાં લ્હાય છે, અને રાસલીલાનું રહસ્ય જણાવનાર ગાય છે કે, કૃષ્ણબ્રહ્મને

“સબ સાધનને રહિત જ્યું અબલા,
“સો થેઈ થેઈ નાચ નચાવે;
“બીરપેંડો પ્રેમકો નોંખો કહાવે !”

આ ચારે માર્ગનો અભ્યાસ વિષ્ણુદાસ બાવાએ કર્યો હતો અને