પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
" एतन्मयोक्तं वद चार्मक त्वं ।
" मत्प्रीतये प्रीतिविवर्द्धनोऽसि ॥"

આ અચીન્તયા વિચિત્ર ભાષાના પ્રશ્નને સજાતીય ઉત્તર મેધાવીએ ત્વરિત આપ્યોઃ–

" नाहं मनुष्यो न च देवयक्षौ ।
" न ब्राह्मणक्षत्रियवैश्यशूद्रा: ॥
" न ब्रह्मचारी न गॄही वनस्थो ।
" भिक्षुर्न चाहं निजबोधरुप: ॥"[૧]

એટલું બોલી હાથનો સ્વસ્તિક રચી ઉભો રહ્યો અને મનમાં હસી મનમાં બોલ્યો.

“ This is a correct answer, correct in a double sense, true to my philosophy, and true to myself – I alone know me and that I am. I belong to all castes or to none, and my stage of life comprehends all stages. I am my inner self and I know it. The words are true as they were first spoken and also as I speak them now.”

“વાહ, વાહ, વાહ, વાહ, ?” વિષ્ણુદાસજી ગાજી ઉઠયાઃ “દેખો, દેખો, મેરા શાસ્ત્રબચન સિદ્ધ હુઆ !”

–“ અચ્છા: નવીનચંદ્રજી.-”

પોતાનું નામ વિષ્ણુદાસ જાણે છે જાણી સરસ્વતીચંદ્ર કંઈક આશ્ચર્ય પામ્યો, પણ પ્રશ્ન સાંભળવા સામું જોઈ રહ્યો, વિષ્ણુદાસનો વચનપ્રવાહ ચાલ્યો:

“ નવીનચંદ્રજી, આ મંદિરમાં પ્રવેશ કરનાર પ્રથમ આ અમારા દેવ યદુનંદનને નમે છે.”

“ સત્ય છે – પણ હું મ્‍હારા ઈષ્ટદેવને જ નમું છું.”

“ ભૈયા, તમારા ઈષ્ટદેવ કોણ?”


  1. ૧. હું માણસ નથી. દેવ નથી, યક્ષ નથી, બ્રાહ્મણ નથી, ક્ષત્રીય નથી,વૈશ્ય નથી, શુદ્ર નથી, બ્રહ્મચારી નથી, ગૃહસ્થ નથી, વાનપ્રસ્થ નથી, સંન્યાસીનથી, હું એક “ નિજ-બોધ-રૂપ” છું. -હસ્તામલક સ્તોત્ર.