પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧
[૧]"लक्ष्यरुप: प्रबुद्धश्वेदलक्ष्यं लक्षयेन्न क: ǁ
"त्रयाणामित्थमद्वैतं युःञ्जत्तेऽलक्ष्ययोगिन: ǁ५ǁ
"गीतायामिदमेवाह भगवानर्जुनं प्रतिǁ
"युद्धे हि छोदयन्नेनं लक्ष्यधर्मधुरंधर: ǁ६ǁ
"कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतं समा: ǁ
"श्रुतिरेषाऽपि लक्ष्यान्वै धर्मान् लक्षयति स्फुटम् ǁ७ǁ
"अल्क्ष्ययोगी लक्ष्येऽस्मिन् विहरन्नात्मन्यात्मना ǁ
"अलक्ष्योसौ परानन्द: स्वप्रकाश: स्वयं न किम् ǁ८ǁ
"अबद्धमुक्त: केनापि न विरक्तो न रागवान् ǁ
"ईशान: सोऽमृतत्वयस्य स्फुलिंगोऽपि स पूरुष:ǁ९ǁ
"नित्यान्त:स्थोऽतिरोहोऽयमनित्यो लक्ष्यसंज्ञक:ǁ
"प्रज्वलन्यज्ञरुपेण द्वैताभासस्य कारणम् ǁ१०ǁ
"अह:कालो निशाकालो लोक: पश्यत्यहर्निशा:ǁ
"अनित्या एव नो कालं कालं पश्यन्ति सूरय:ǁ११ǁ

  1. *લખ જેનું રૂપ છે એવા અલખ આત્મા જીવાત્મામાં જાગ્યા હોય તેા તે જીવાત્મા એ અલખને લખ કેમ નહી કરે ? અને કોણ નહી કરે ? આવી રીતે જીવ, ઈશ્વર, અને અલખ બ્રહ્મ એ ત્રણેયના અદ્વૈતનો યોગ અલખના યોગીઓ યોજે છે. પ.
    અર્જુનને યુદ્ધમાં યોજતાં લક્ષ્યધર્મના ધુરંધર શ્રીકૃષ્ણે એને ગીતામાં આ જ કહ્યું છે. ૬.
    આ જગતમાં કર્મને કરતો કરતો સો વર્ષ સુધી તું જીવ એવી જે વેદની શ્રુતિ છે તે પણ લક્ષ્યના ઘર્મોને સ્પષ્ટ કરી લક્ષે છે. ૭.
    અલખનો યોગી આ લેખમાં આત્મા સાથે આત્માવડે વિહાર કરે છે. એ આ અલખ અને પરાનંદયોગી તે સ્વપ્રકાશ પોતે જ કેમ નહી ? ૮.
    તે કોઈ પ્રકારથી બંધાયેલ નથી અને મુક્ત નથી, વિરક્ત નથી અને રક્ત નથી; તે અમૃતત્વનો ઈશ છે અને સ્ફુલિંગ છે પણ પુરુષ છે. ૯.
    નિત્યની અંદર રહેલ આ લક્ષ્ય નામનો અનિત્ય અતિરોહ છે તે યજ્ઞરૂપે જ્વલન પામી દ્વૈતાભાસનું કારણ થાય છે. ૧૦.
    દિવસ પણ કાળ છે અને રાત્રિ પણ કાળ છે, તેમાં લોક અનિત્ય એવાં જે દિવસ અને રાત્રિ રૂપે તેને જ દેખે છે અને તેમાં ઓતપ્રોત કાળને દેખતા નથી. કાળને તો જ્ઞાનીઓ જ દેખે છે. ૧૧.