પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
"प्राकृतास्त्व्वेवमीक्षन्ते द्वैधं ज्वलनशान्तिषु ॥
"न तत्संपृत्कमद्वैतमनित्यं तैस्तु लक्षितम ॥ १२ ॥
"अक्षिभिस्तै: सहस्त्राक्षः स्वयंभूरतिरोहते ॥
"अलक्ष्यात्मन्यालक्ष्येण न चासौ नाभिनन्दितः ॥
"लक्ष्यस्यान्तर्गतः स्थाणुर्लक्ष्यातिष्ठो दशाङ्गुलम् ॥
"अलक्ष्यः प्राकृतौर्नित्यो योगिलक्ष्यः परावरः ॥ १४ ॥[૧]

આ અનુષ્ઠુપ છંદ અલખપુરીએ ગાયા; તે આગળ આગળ આવ્યો તેમ તેમ બીજા યોગીયો તેની સાથે ગાવામાં પ્રથમ મનમાં, પછી કંઠમાં, અને અંતે મુખથી, ભળ્યા.

અંતે વિષ્ણુદાસ રહસ્ય-મંત્રનો અર્થ દર્શાવતાં વિસ્તારતાં બોલ્યાઃ “અમે વેદાંતના બે ભાગ પાડીયે છીયે. એક શ્રુતિ–ઉક્ત અને બીજું વૈયાસક, શાંકર, આદિ. શ્રુતભાગમાં સર્વ સંપ્રદાયરૂપ નદીઓનું મૂળ છે. શાંકર વેદાંતમાં સંન્યાસને ઉત્તમ પદ આપ્યો છે અને માયાને ત્યાજ્ય ગણી છે. ભગવાન શંકર અમારે પૂજ્ય છે, પણ આ ઉભય વાતમાં અલક્ષ્ય સિદ્ધાંત એ વેદાંતથી જુદો છે તે આ રહસ્યથી સમજાશે. એ વેદાંતમાં જીવ, ઈશ્વર, અને બ્રહ્મ એ ત્રણની ત્રિપુટી છે તે અમે સ્વીકારીયે છીયે, પણ એ ત્રિપુટીને સ્થાને લક્ષ્ય અને અલક્ષ્ય એવી દ્ધિપુટી અમને વધારે અનુકૂળ છે, કારણ તેમાં લાઘવગુણ છે. જીવ અને ઈશ્વર ઉભયને ઉપાધિને અવચ્છેદ છે માટે એ ઉભયને અમે એક પક્ષમાં મુકીયે છીયે અને ઈતર પક્ષમાં ઉપાધિથી


  1. * લક્ષ્યના જ્વલનમાં અને શાંતિમાં પ્રાકૃત જનો આવી રીતે દ્વૈત-બેપણું - દેખે છે; પણ તે બેમાં રહેલું અદ્વૈત દેખતા નથી, કારણ તેએાઅનિત્યને જ લક્ષે છે. ૧૨.
    તે અનેક લોકનાં અનેક ઈન્દ્રિયો તે જ જેની ઇન્દ્રિયો છે અને તેધરવાથી જે સહસ્ત્રાક્ષ કહેવાય છે એવું લક્ષ્ય સ્વયંભૂ છે તે લક્ષ્ય અક્ષ્યઆત્મામાં અતિરોહ પામે છે; અને એ અતિરોહ અલક્ષ્યને અભિનંદિત નથીએમ નથી. ૧૩.
    લક્ષ્યમાં અંતર્ગત, સ્થાણું, લક્ષ્યને ઓળંગી દર અાંગળ અવસ્થિતરહેતો, પ્રાકૃત જનોથી અલક્ષ્ય, અને યોગીજનોએ લક્ષ્ય એવા અલખપરાવર છે, ૧૪.
    (આ શ્લોકાર્થનો વિસ્તાર આ પછીના પ્રકરણમાં છે. )