પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧

संसारस्यैव विरामो मोक्ष: ॥ यावन्त एते व्यष्टिसमष्टिबन्धमो- क्षप्रपञ्जास्तावतामनेकानां सामान्यमेकं तल्लाधवाल्लक्ष्यमित्युच्यते यथा हस्तपादाद्यनेकत्ववानेकः पुरुषो जीवो वोच्यते ॥ यथा मृद्धिकारो घटादिनामधेयो भवति तथैवैकं लक्ष्यं प्रपञ्जीभवति विश्वीभवति ॥ एवंविधं बन्धमोक्षादिप्रपञ्जसमुच्चयरुपं लक्ष्यं तत्तथाविधत्वान्न बध्यते न वा मुच्यते ॥ एअकस्यानेकत्वापतौ वदतो व्याधातात् ॥ तत्तत्प्रपञ्चप्रायस्यैव समग्रलक्ष्यस्य च तत्तद्वन्धमोक्षादियोगेऽनवस्थादिदोषात् ॥ अतः संसारसंसारिणो- र्लक्ष्येऽन्तर्भाव एव यथा स्वप्नजालानां जागृते ॥ याऽसौ मायेत्युच्यते तस्या अपि तत्रैवान्तर्भावः ॥

लक्ष्यालक्ष्ययोरद्वैतं साधयति ॥ एकोऽहमद्वितीयोऽहमित्या- दिभि: ॥ अलक्ष्योऽयमात्मा विश्वरुप: साक्षित्वेन स्थितोऽपि कस्य साक्षीति चेदात्मन एव लक्ष्यरुपस्य साक्षीति चित्वं सिध्यति ॥ मायारुपो विहार: शाम्यन् शान्तिरुपो भवतीत्युभयथा लक्ष्यत्वमेकमेव तयोरितरस्मिन् यो रागद्वेषो भजते स त्रैगुण्य- मङ्निकरोति क्रियावान् भवत्येव ॥ मायायां द्वेषवन्त: शान्तौ रागवन्त एव विरक्तमानसा भिक्षुनामानो विद्वांसोरपि महात्मानोऽपि नाद्वैतसिद्धिं व्रहन्त्यद्वैताभासवञ्चिता एव परिव्रजन्ति [૧]


  1. પેઠે-સરે તે સંસાર; તે બાણની ગતિ જેવો, બાણ જેવો નહીં. બાણગતિ જેવો સંસાર આરંભરૂપ હેાય ત્યારે તેનું નામ બંધ; અારબ્ધ કર્મથી પરવારી બાણ સ્થિર થાય, એટલે જે સંસારનો આરંભ આટોપાયો તે સંસારનો જ વિરામ તે મોક્ષ. વ્યષ્ટિ, સમષ્ટિ, બંધ, અને મોક્ષ આ જેટલા પ્રપંચો છે તેટલા સર્વ-તે-અનેકત્વમાં રહેલું એક એવું જે સામાન્ય તેને લાઘવના હેતુથી લક્ષ્ય કહીયે છીયે; જેમ હસ્તપાદાદિ અનેકવાળો એક તેને પુરુષ અથવા જીવ કહીયે છીયે. જેમ એક માટીના અનેક વિકારો અનેક ઘટાદિ નામો ધરે છે તેમ જ એક લક્ષ્ય - અનેક પ્રપંચરૂપે - વિશ્વરૂપે - બની રહે છે. આવી રીતનું, બન્ધમેાક્ષાદિ અનેક પ્રપંચોના સમુચ્ચયરૂપ, લક્ષ્ય એવું છે માટે નથી બંધાતુ, અને નથી મુક્ત થતું, (જો એક લક્ષ્યના અનેક એવા જે બન્ધમોક્ષ તે થાય છે કહીયે તો એકની અનેકત્વાપત્તિ થાય અને वदतोव्याधात નો દોષ આવે. અને પેલા બન્ધમોક્ષાદિ જુદા જુદા પ્રપંચોથી ભરેલા સમગ્ર લક્ષ્ય એ જ બન્ધમોક્ષાદિ પામે એવું કહીયે તો અનવસ્થાદિ દોષ આવી જાય.) માટે સંસાર અને સંસારી ઉભયનો લક્ષ્યમાં અંતર્ભાવ જ છે, જેમ સ્વપ્નજાલોનો જાગૃતમાં છે. જે આ માયા નામે એાળખાય છે તેનો પણ તેમાં જ અંતર્ભાવ છે,