પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪

जीवस्फुलिङ्गः संसारीव लक्ष्यव्यवहारधर्मान् समाद्रियत इव ॥ नायं कैवलं तथा लक्ष्यते किंतु स लक्ष्यतेऽपि येन तथालक्ष्योऽयं स्वयमेव तल्लक्ष्यत्वंलक्षते लक्ष्यात्मसाधर्म्यमुद्दिशति व्यष्टिसमष्ट्यो- रेकत्वे तयो: प्रवृत्तिभेदाभावफलजिधत्सया तह्यतिरिक्तफलपराङ्मुख: सर्वसत्कर्मकरोऽप्यहंकारशून्यत्वात्तानि तानि कर्माणी नैष्काम्येनकुर्वन्नीश्वराय च समर्पयन्नेव जीवेश्वरयोर्लक्ष्यसाधर्म्य- मुद्धोधयति तेन च लक्ष्यधर्मानाद्रियते ॥ तेन विधिना च त्रिलो- कस्यवैश्वानरशक्त्याधिष्करणमुपमीयते ॥ अनेन विधिना जीवेश्व- रयोरद्वैतयोग: साध्यते ॥ कर्मयोगोऽयमिति केचित् ॥ कर्मयोगेन जीवेश्वरयोरैक्यं सिध्येत स च योगो गीतायामुक्त: ॥ ज्ञानयोगेन जीवब्रह्मणोरैक्यं सिध्येत तेनाह यदलक्ष्ये चावगाहेत ॥ अलक्ष्यं तु ब्रह्मैव ॥ अवगाहनाह्ब्रह्मविह्ब्रह्मैव भवतित्युद्दिष्टम् ॥ नूतन- वेदान्तिनस्तु ज्ञानयोगं साधयन्ति न तु कर्मयोगम् ॥ केचित्तु केवल- कर्मयोगिनः ॥ रात्रिदिनरुपमिव कालं कर्मज्ञानयोगं तु लक्ष्यालक्ष्य-


[૧]

  1. જડ ધર્મો સેવીને જ એ ગૂઢ અગ્નિ ત્રિલોકવાસી અગ્નિની પ્રકાશમયી અને દહનમયી શક્તિને પોતાનામાં આવિર્ભાવ દેખાડે છે; તે જ પ્રમાણે પ્રબુદ્ધ થયેલો આ જીવ-સ્ફુલિંગ સંસારી પેઠે લક્ષ્ય વ્યવહારના ધર્મોનો સમાદર કરતો લાગે છે. આ સ્ફુલિંગ આ પ્રમાણે લક્ષ્ય થાય છે એટલું જ કેવળ નથી, પરંતુ તે સ્ફુલિંગ લક્ષે છે પણ ખરો. કારણ એવી રીતે લક્ષ્ય એવો આ સ્ફુલિંગ એ લક્ષ્યત્વને જાતે જ લક્ષે છે; એટલે વ્યષ્ટિ અને સમષ્ટિનું એકત્વ હેાવાથી એ બેની પ્રવૃત્તિએાના અભેદનું ફલ ભોગવવાની ઇચ્છા રાખી વ્યષ્ટિસ્ફુલિંગ એ ફલ શીવાયનાં બીજાં સર્વ ફલથી પરાઙ્ગમુખ થાય છે, સર્વ સત્કર્મ કરે છે, પણ પોતાનામાં વ્યષ્ટિના “અહં”કારનું શુન્યપણું હેાવાથી એ સર્વ કર્મ નિષ્કામ રહી કરે છે અને સમષ્ટિવૈશ્વાનર ઈશ્વરને જ એ સર્વ કર્મનું સમર્પણ કરે છે, એ સમર્પણથી જ જીવ અને ઈશ્વરના લક્ષ્યસાધર્મ્યનું ઉદ્દબોધન કરે છે, અને એવી રીતે લક્ષ્યઘર્મનો આદર કરે છે. આવી રીતે આ સ્ફુલિંગમાં ત્રિલોકવાસી વૈશ્વાનરની શક્તિની ઉપમા થાય છે, અને સ્ફુલિંગજીવ એ સ્થિતિ લક્ષે છે, આ વિધિવડે જીવ-ઈશ્વરનો અદ્વૈતયોગ સધાય છે. કેટલાક એને કર્મયોગ કહે છે. કર્મયોગથી જીવ-ઈશ્વરનું ઐકય સધાય છે. અને તે યોગ ગીતામાં કહેલો છે. જ્ઞાનયોગથી જીવ-બ્રહ્મનું ઐકય સધાય છે માટે મંત્રમાં કહ્યું કે “અલક્ષ્યમાં પણ પ્રવેશ કરે છે. ” અલક્ષ્ય એટલે તો બ્રહ્મ જ. અલક્ષ્યમાં પ્રવેશ કરવાનું કહી “ બ્રહ્મ જાણનાર બ્રહ્મ જ બને છે ” તે દેખાડયું. નૂતન વેદાન્તીઓ તો જ્ઞાનયોગને જ સાધે છે; કર્મયેાગને નથી સાધતા.