પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬

कर्मवैराग्यं च क्रियेति वदतो व्याघात: ǁ ज्ञानस्त च क्रियात्वे त्वनित्यत्वापत्तिः क्रियाणामनित्यत्वात् ǁ आत्मक्रीड आत्मरतिः क्रियावानेप ब्रह्मविदां वरिष्ठ इति श्रुतिवाक्ये क्रियावत्त्वं कर्मयोगित्वमेव ǁ 'द्वा सुपर्णा सयुजा' इत्यादिपूत्कप्रकारेण पिप्पलस्वाद्त्यागेन फलत्याग उत्कः ǁ फलत्यागेन जीवस्यानीशत्वं शोकमोहलक्षणं नश्यति वीतशोकत्वासश्च स ईशवदनश्नन् फलत्यागी क्रियावानीशेन साम्यमुपैति ǁ ज्ञानयोगेन ब्रह्मैक्यं सिध्यति न त्वीशरद्वैतम् ǁ तत्तु कर्मयोगेनैव सिध्यति ǁ अत्र गीता साक्षात्प्रमाणम् ǁ स्वयंलक्ष्यधर्मधुरंधरः सन् श्रीकृष्णो भक्तोऽसि मे सखा चेतीयुक्तवानेवेष्टं धर्मेण योजयेदिति न्यायेनार्जुनं युद्धकर्मणि समर्थयामास तत्तु लक्ष्य धर्मस्यैव वृद्धये न विनाशाय ǁ श्रीकृष्णस्य स्वस्यैव लक्ष्यधर्मिताया महाभारतनायकात्मानि सम्यगाधानायैव तेन विधिना [૧]


  1. તે જ કર્મ છે એવા શાસ્ત્રાદિમાં ઘણું ખરું વ્યવહાર છે. જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, આદિ ક્રિયાઓ તે જ શ્રુતિમાં ઉપદિષ્ટ કરેલી ક્રિયાઓ છે એવું મુણ્ડકના ભાષ્યમાં શંકરમત છે. અમારા રહસ્યમતમાં તો, જેનાં લક્ષણ કહી ગયેલા છીએ તે - કર્મયોગ - જ શિષ્ટ ગણાયો છે; કારણ ફલત્યાગનો જ યોગ છે - કર્મ ત્યાગથઈ શકે એવો યોગ નથી, કર્મના વૈરાગ્યને ક્રિયા ક્‌હેવી એ તો, वदतो व्याघात દોષ થાય. જ્ઞાનમાં ક્રિયાત્વનો આરેાપ કરો તો જ્ઞાનમાં અનિત્યત્વ આવે, કારણ ક્રિયાઓ અનિત્ય છે. ત્યારે “ આત્મસાથે “ક્રીડા કરનાર, આત્મમાં રતિ કરનાર, ક્રિયાવાન્ એવા આ બ્રહ્મ “જાણનારાઓમાં શ્રેષ્ઠ” એ શ્રુતિવાક્યમાં જે ક્રિયાવાન્‌પણું છે તે કર્મયોગીપણું જ છે એમ સમજવું. “સાથે યોગ પામેલાં બે પંખીઓ” (द्वा सुपर्णा વગેરે ) ઇત્યાદિ શ્રુતિવાક્યોમાં પિપ્પલના સ્વાદનો ત્યાગ રહ્યો છે તે પણ ઉપર કહેલે પ્રકારે ફલત્યાગ જ ઉકત છે. શોક-મોહ એ બે લક્ષણવાળું જીવનું જે અનીશપણું તે ફલત્યાગથી નાશ પામે છે; અને ઈશના જેવો ભેાગરહિત એટલે ફલત્યાગી ક્રિયાવાન્ થઈ, શોકહીનતાને લીધે, એ ઈશની સાથે સામ્ય એટલે સમતા પામે છે. જ્ઞાનયોગથી બ્રહ્મની સાથે ઐકય સધાય છે, ઈશ્વરાદ્વૈત સધાતું નથી; એ તો કર્મયોગથી જ સધાય છે એમાં ગીતા સાક્ષાત્પ્રમાણ છે. પોતે અમારા લક્ષધર્મના ધુરંધર હોઇને, અને પોતાના ઈષ્ટજનને પોતાના ઇષ્ટધર્મનો યોગ કરાવવો એ ન્યાયથી, “તું મ્હારો ભક્ત છો - તું મ્હારો સખા છે” એવાં વચનો બોલતા બેલતા - એટલે અર્જુનને સ્પષ્ટ ઇષ્ટ જન ગણતા એવા શ્રીકૃષ્ણનારાયણે નરઅર્જુનને યુદ્ધકર્મમાં સમર્થ કર્યો તે લક્ષ્યધર્મની જ વૃદ્ધિને માટે કર્યો – એ ધર્મના નાશને માટે નહીં. શ્રીકૃષ્ણના પોતાના જ લક્ષ્યધર્મપણાનું - મહાભારતના નાયકના આત્મમાં- સારી રીતે