પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭

च जीवस्येश्वरसाम्यसंओआदनायैव भगवान् व्यासस्तथाविधमतिहासमुक्तवान् ǁ न चेन्महाभारते समस्तो गीताध्यायोऽप्रासंगिको मिथ्योक्तिरुप एव स्यात् ǁ योगवसिष्ठेऽपि श्रीकृष्णवाक्यस्यायमेवोद्देशः प्रतिपादितः ǁ उत्कमेव तत्र यथा "शान्तब्रह्मवपुर्भूत्वा कर्म ब्रह्ममयं कुरु ǁ ब्रह्मार्पणसमाचारो बह्मैव भवसि क्षणात् ǁ लोके विहर राघव" इत्यादिभिरपि तत्रायमेव कर्मयोगः प्रतिपादितः ǁ यज्वेशावास्ये "कुर्वन्नेवेह कर्माणि जिजीविपेच्छतं समाः" इत्यादयः श्रुतयस्ता अपि लक्ष्यधर्मप्रतिपादिकाः ǁ अस्यामुपनिषदि केवलायां विद्यायामविद्यायां वा रतिर्निन्दिता तथैव संभूत्यामसंभूत्यामपि ǁ अत्रैकया विद्यया कर्मत्यागविशिष्टा केवलमात्मविद्योत्का ǁ केवलमविद्येति सकामकर्मवत्ताऽनात्मविद्या च ǁ तथैव संभूतिरिति स्वयंभूरात्मसंभूतौ च रतिरति केवलमात्मज्ञानबुद्धौ सत्यां कर्मपराङ्मुखतैविक्ता ǁ असंभूतिस्तु संभूतिरहिता शरीरादिविकल्पसृष्टिः कर्मफलभोगदायिनी ǁ असंभूतित्वं तु तस्यानश्वरत्वात्सद्वस्त्वाभासमात्रत्वाज्व ǁ अविद्या -[૧]


  1. આધાન કરવાને જ, અને એ વિધિથી જીવનું ઈશ્વર સાથે સાક્ષ્ય સંપાદન કરવાને જ, ભગવાન વ્યાસે એવી રીતનો ઇતિહાસ કહ્યો એમ ન હોય તો મહાભારતનો સમસ્ત ગીતાધ્યાય અપ્રાસંગિક અને મિથ્યોક્તિરૂપ જ થાય. યોગવાસિષ્ઠમાં પણ શ્રીકૃષ્ણવાક્યના આ જ ઉદ્દેશનું પ્રતિપાદન કરેલું છે; એમાં કહેલું જ છે કે “શાંતબ્રહ્મના જેવું અથવા શાંતબ્રહ્મનું જ શરીર ધરી, બ્રહ્મમય કર્મ કર ! બ્રહ્મને અર્પણ કરેલા છે જેના સમ્યગ – સારા – આચાર એવો તું ક્ષણમાં બ્રહ્મ જ બની રહીશ !” વળી “ હે રાઘવ ! લોકમાં વિહાર કર”ઇત્યાદિ અનેક વાક્યોથી પણ યોગવાસિષ્ઠમાં આ જ કર્મયોગનું પ્રતિપાદન કરેલું છે. “કર્મ કરતાં કરતાં જ સો વર્ષ જીવવાની ઈચ્છા રાખવી ” ઇત્યાદિ શ્રુતિયો ઇશાવાસ્યમાં છે તે પણ લક્ષ્ય ધર્મની પ્રતિપાદક છે. આ ઉપનિષદમાં કેવલ વિદ્યામાં તેમ કેવલ અવિદ્યામાં રતિ કરનારની નિન્દા છે; તેમ જ સંભૂતિમાં અને અસંભૂતિમાં રતિ કરનારની પણ છે. આમાં એક જ વિદ્યા કહેલી છે તેનો અર્થ કર્મત્યાગરૂપ વિશેષણવાળી અને કેવળ આત્મવિદ્યા થાય છે - એવી આત્મવિદ્યાને નિન્દી છે. કેવળ અનાત્મવિદ્યા નિન્દી છે તેમાં સકામ કર્મવત્તા અને અનાત્મવિદ્યા આવી ગઈ તેવી જ રીતે જે સંભૂતિ નિન્દી છે તેમાંસંભૂતિ એટલે સ્વયંભૂ તે આત્મા છે અને સંભૂતિમાં રતિ એટલે કેવલ આત્મજ્ઞાનની બુદ્ધિ હોય અને તેની સાથે કર્મમાં પરાઙ્ગમુખતા હેાય તેને નિન્દી છે. તેમ અસંભૂતિ એટલે તે સંભૂતિરહિત શરીરાદિ વિકલ્પસૃષ્ટિ જે કર્મફલના ભેાગ આપ