પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬

જરાશંકર શ્લોક બોલવા લાગ્યો.

“नगस्य कूटेषु च पन्नगानां
'“शिरःसु चारण्यमदद्विपानाम् ।
“कुम्भस्थलीष्वेव च वारनारेः
"पद्यासु चाम्भ:सु च वारिराशेः॥
"“रत्नाकरत्वात्तु पुरातनेभ्यो
“लेभे पुरा रत्नपुरीत्यभिख्याम् ।
"या साऽद्य संपुष्यति कीर्तिमग्रयां
"जगत्सु जाता नररत्नगर्भा॥[૧]

મલ્લરાજે આકાશ ભણી હાથ જોડી ઉદ્‍ગાર કર્યો: “હે માતા રત્નનગરી ! ત્હારાં સુંદરગિરિમાં, ત્હારાં અરણ્યોમાં, ત્હારા મહાસાગરમાં, ત્હારા પેઠે ચાલનારાં અને પગે ચાલનારાં પ્રાણીયોમાં, ત્હારાં રાજ્યની જડચેતન લક્ષ્મીમાં સર્વત્ર તું ૨ત્નની ખાણો ને ખાણો રાખે છે તેની કીર્તિને મલ્લરાજના વંશજો અને તેમના અધિકારીયો અને પ્રજાઓ કદી ઝાંખ લગાડે નહી એવું ત્હારું સદ્‍ભાગ્ય હો અને એ સદ્‍ભાગ્ય સિદ્ધ કરવા આજનાં ત્હારાં નર-૨ત્ન યુદ્ધમાં ચ્હડશે ત્યાં ઈશ્વર સહાય થાવ !”

આ વચન નીકળે છે તેવામાં સામંતને આગળ કરી યુદ્ધસામગ્રી સજી સર્વ ભાયાતો હારબંધ રાજમંદિરમાં આવ્યા, અને સામંત મલ્લરાજના પગ આગળ તરવાર મુકી બોલ્યોઃ “ઈશ્વર સહાય થાઓ ધર્મરાજ મહારાજ મલ્લરાજને ! મહારાજની આજ્ઞા ઉપાડવા સર્વ ભાઈઓ શિર સજજ કરી ઉભા છે અને રંક સામંતને મુખે આજ્ઞા માગે છે.”

મલ્લરાજ આનંદપ્રફુલ્લ થયો અને બોલ્યો; “ધન્ય છે, સામંત,


  1. આ નગરીની હદમાં રત્નની ખાણોને, સુંદરગિરી શિખરેામાં રાખે છે, મણિધરો માથામાં રાખે છે, મધ ધરનાર વનગજો કુમ્ભસ્થલોમાં રાખે છે, હસ્તીયોનો શત્રુ સિંહ પોતાને ચાલવાના – અને કુંભસ્થલને ફાડનાર પંઝા મુકવાના – માર્ગોમાં રાખે છે, અને સમુદ્ર પાણીમાં રાખે છે, પુરાતન લોકે આથી જેવું નામ પ્રથમથી રત્નનગરી પાડ્યું છે તે નગરી નરરત્નોને ગર્ભમાં ધારણ કરી જગતોમાં પેાતાની અગ્ર્ય કીર્તિની આજના કાળમાં વધારે – પુષ્ટિ કરે છે.