આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કંઠ અને આંગળીયો માર્ગે પડ્યા. કંઠ અને તુંબુરના સ્વર પરસ્પર લીન થયા.
- [૧]"પ્રાત...થ.યો !......યદુનં.......દન જા......ગો.......
- “અ–લ–ખ–હવે......લખ...થા...વો !...રી......પ્રાત૦
- "ર-જ-નિ-ગઈ......દિન આ.......વી ઉભો...છે...
- “વા......ટ જુઓ......પ્રભુ ! જાગો.......રી !...પ્રાત૦
- “હળવે... હળવે... ...તા-રા...થા–તા...
- “અ-સ્ત ! ઉગે...છે......ભા...નુ...રી........
- પ્રાત૦
- "હરિ...હા...હરિ...હા......
- “પ્ર-ક-ટ-ની ભ...ક્તિ......પ્રકટે...જ્યા...રે..
- "પ્રકટે...સુ......ન્દરના[૨]-સા...નુ[૩]...રી !...
- “સા...નુ ઉઉ...રી !......
- "સા-આ સા...નુ...રી !......પ્રાત૦
- "યા...દવવંશ...તણા...રવિ...કે...રાં…
- “દ-ર્શ-ન-આ......રવિ કરતો....રી !...પ્રાત૦
- "હૃ–દ-ય-કમળ કે...... કમળ જ...વિકસે ?......
- “વિષ્ણુદા.........સ નહીં કળતો......રી !...…….પ્રાત૦”
ગાન એકદમ બંધ થયું. તુંબુર રણકાર કરતો કરતો બંધ થયો. વિહારપુરી રાધેદાસને ખભે હાથ મુકી અચીન્ત્યો બોલ્યો, “ગુરુજીને સમાધિ ચ્હડ્યો !”
રાધેદાસઃ “શું ગુરુજીની શક્તિ ! જ્ઞાન જુવો તો એમનું ! વૈરાગ્ય એમનો ! ઉપદેશ એમનો ! બુદ્ધિ, ગાયન, વાદિત્ર, ભક્તિ, યોગ, સમાધિ - જે સદ્વસ્તુ ક્હો તેનો સમુદાય ગુરુજીમાં – અને તે પણ અપૂર્વ.”
“વાહ વાહ! રાધેદાસ ! ધન્ય ભાગ્ય આપણાં કે ગુરુની સેવા કરતાં જ અલખ જગાવીયે છીયે.” વિહારપુરી બોલ્યોઃ વળી સરસ્વતીચંદ્રના મ્હોં સામું જોઈ તેને કહેવા લાગ્યો.
“ભાગ્યશાળી જુવાન ! તમે સુન્દરગિરિના વિષ્ણુદાસ બાવાના મઠના અતિથિ છો - તેમના અત્યંત પ્રસાદનું પાત્ર છો. અમે તેમના ચેલા