પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૨


સામંત - “નકકી ?”

મલ્લરાજ – “મલ્લરાજનું વચન ફર્યું છે ?”

સામંત – “તો મહારાજની આજ્ઞા સિદ્ધ થઈ સમજો.”

સામંત આજ્ઞા લેઈ ગયો. મહારાજ જરાશંકરને, ક્‌હેવા લાગ્યો.

“જરાશંકર, ફાક્‌સ સાહેબ થોડા દિવસ ઉપર આપણા અરણ્યમાં મૃગયા કરવામાં મ્‍હારો સાથી હતો. ઘણી વાતો અમે કરી. પણ આ વાત કરવા એનો ઓઠ ઉઘડી શક્યો નથી – બાકી એણે વાત ઉઘાડવા ધારી હતી તે હું જાણું છું.”

જરાશંકર – “મહારાજ, સદ્ગુણનો પ્રતાપ એવો છે કે દુષ્ટ લોક એ પ્રતાપથી જ અંજાઈ જાય છે અને બાયલા બની, જેવા આવેછે, તેવા પાછા જાય છે. તેમાં જેનામાં સદ્ગુણ સાથે શૌર્યનો સંગમ હોય એવા મહાત્મા પાસે તો દુષ્ટતા સાથે ગમે તેટલું બળ હોય તે નિર્બળ થઈ જાય છે. અન્ય પ્રસંગે મ્‍હેં આપને કહ્યું હતું કે એક મહારાજને મુનિયોના તપોવનમાં પેસતાં એવું ક્‌હેવું પડ્યું હતું કે,

" पदे पदे साध्वसमावहन्ति ।
" प्रशान्तरम्याण्यपि मे वनानि ॥*[૧]

સિંહ અને વાઘ જેવાં ક્રૂર પ્રાણીઓ પોતાની સામે એકટશે જોઈ રહેનારથી પાછાં ખસે છે. તો ગમે તેવો દુષ્ટ પણ ચતુર ઈંગ્રેજ આપના જેવાની પાસે પોતાના મુખથી અપવિત્ર ઉદ્ગાર ક્‌હાડતાં પાછો કેમ ન હઠે? મહારાજ, જો કોઈ રાજાની પાસે કોઈ ઈંગ્રેજ હલકી વાત ક્‌હાડે કે તેનું અપમાન કરે તો એટલું સિદ્ધ ગણજો કે એ ઇંગ્રેજ તો ગમે તેવો હશે પણ એ રાજાના રાજત્વમાં કોઈ મહાન દોષ હોવો જોઈએ.”

મલ્લરાજ અને જરાશંકર છુટા પડ્યા, સામંતને સોંપેલું કામ એણે શ્રદ્ધાથી અને ચતુરતાથી કર્યું. દિવસ ગયા, માસ ગયા. મુળુનો વિશ્વાસ સામંતે મેળવ્યો, તેના સાધનથી ખાચર અને એનાં માણસ રત્નનગરીના રાજાને વશ બની વર્ત્યા. ખાચર સાથે સન્ધી થયો, સરકારના એજંટે આ સન્ધિનું પ્રમાણભૂત સાક્ષિત્વ કર્યું, અને સરકાર સુધી સન્ધિ વજ્રલેપ થયો. મલ્લરાજના રાજ્યની ચારે પાસની સીમા દૃઢ નિર્ણીત થઈ ગઈ. યુવાન મુળુએ મનથી પરાક્રમ કર્યું માન્યું, તેની


  1. * આ વન અતિશય શાંત અને રમ્ય છે તો પણ પગલે પગલે મ્‍હારા હૃદયમાં ભય ઉત્પન્ન કરે છે.