પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૪
"સખી જા જઈ એવું તું મોતને ક્‌હે,
“સખીં, જા જઈ એવું તું તાતને ક્‌હે !-મને૦
“શુણો, માતા, તાત, ટેક મુજ એવડો જો,
“મ્‍હારે જોઈએ ગુલાબ અને કેવડો જો. શુણો૦
“સારો સુંવાળો સ્વામી ન મને પરવડે જો,
“એને સારો સારો કરીને સઉ અડે જો. શુણો૦
“કાંટાવાળો તે કંથ મ્‍હારે જોઈએ જો,
“રુડો રંગ ને સુવાસ એમાં સ્‍હોઈએ જો. શુણો૦
“લેવા જાય તેને ભચ્ચ કાંટા વાગશે જો,
“માળણ મ્‍હારા જેવી ચતુર ઝાલશે જો. શુણો૦
“સુગન્ધ રંગ રંગ ભોગવું હું એકલી જો,
“બીજી નાર જોઈ જોઈ તે રહે બળી જો ! શુણો૦
“એવો કંથ તે ગુલાબ ક્‌હો કે કેવડો જો,
“સુરજવંશે કમળાને કાજે એ ઘડ્યો જો !” શુણો૦

“ત્યારે તમે એ ફુલ તોડી લ્યોને ” એક સહી બોલી.

“મ્‍હારા મનમાં બીજો એક એવો બુટ્ટો છે કે હું પણ એક ફુલ છું તે મ્‍હારી પાસે આવી મને તોડવાની જેનામાં આવડ હોય તેને હું પરણું.”

“તે તમે કેવું ફુલ છો ? ને તમને તોડવામાં શું કઠણ છે ?”

“ હું ચંદ્રવંશનું રાત્રિવિકાસી કમળ–પોરણું–છું. મ્‍હારો વિકાસ એકાંત રાત્રે – તે રાત્રે મને શોધી ક્‌હાડે ને મ્‍હારા પાણીમાં આવી મ્હારો વાસ લે, મ્‍હારી શોભા જુવે ને મને ત્યાંથી તોડે તેના હાથમાં હું જાઉં.”

આમ બોલે છે એટલામાં ઝાડ પાછળ સંતાયલો મણિરાજ વાઘની પેઠે ફાળ મારી ઝાડમાંથી કુદ્યો ને કમળા બેઠી હતી તેની પાછળ એક કુદકે પડ્યો, અને એક હાથ પાણીમાં કમળાના પગ તળે અને બીજો હાથ એના વાંસા પાછળ – એમ બે હાથ રાખી, પ્રથમ એના પગ અને પછી આખું શરીર – એમ બે હાથમાં કમળાને ઉંચકી લઈ પોતાના હૃદય પાસે ઝાલી તેડી રાખી દેાડ્યો, એની પાછળ સઉ સહીયો દોડી, અને પ્રથમ નદીતીરે તે બેઠાંતાં ત્યાં એક મગર આવી પાણીમાં ઉભો દેખાયો.

હાથમાંની કમળાને છુટી મુકી મણિરાજ બોલ્યોઃ “પાણીમાં