પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૧
स किलाश्रममन्त्यमाश्रितो
निवसन्नावसथे पुराद़्यहिः ।
समुपास्यत पुत्रभोग्यया
स्त्रुषयेवाविकृतेन्द्रियः श्रिया ॥ ५ ॥[૧]
प्रशमस्थितपूर्वपार्थिवं
कुलमभ्युद्यत नूतनेश्वरम् ।
नभसा निभृतेन्दुना तुला-
मुदितार्केण समारुरोह तत ॥ ६ ॥[૨]
यतिपार्थिवलिङ्गधारिणौ
दद्दशाते रघुराघवौ जनैः ।
अपवर्गमहोदयार्थयो-
र्भुवमंशाविव धर्मयोर्गतौ ॥ ७ ॥[૩]
अजिताधिगमाय मन्त्रिभिर्
युयुजे नीतिविशारदैरजः ।
अनपायिपदोषलब्धये
रघुराप्तैः समियाय योगिभिः॥८॥[૪]
नृपतिः प्रकृतीरवेक्षितुं
व्यवहारासनमाददे युवा ।[૫]

  1. ૫. અંત્ય આશ્રમનો (સંન્યાસનો) આશ્રમ કરી એ રાજા નગરથી બ્હાર સ્થાન કરી રહ્યો; અને તે પછી રાજલક્ષ્મી, પુત્રવધૂના જેવી કેવળ પુત્રભેાગ્યા રહીને, અવિકારી ઇન્દ્રિયોને ધરનાર આ ત્યાગી રાજાની પાસે અાવી તેનું ઉપાસન કરતી.
  2. ૬. જેનો જુનો રાજા અત્યંત શાંતિની અવસ્થામાં સ્થિર થઈ થયો છે અને નવો રાજા રાજ્યમાં ઉદય પામ્યો છે એવું આ કુળ એક પાસ અસ્ત થવા આવેલા ચંદ્રને અને બીજી પાસ ઉદય પામતા સૂર્યને ધરનાર આકાશની સાથે તેાળાયું.
  3. ૭. ધર્મના બે અંશ,– એક મોક્ષરૂપ અને બીજો મહોદયના ફળરૂપ; એ બે અંશ પૃથ્વી ઉપર આવી ઉતર્યા હોય તેવા યતિલિંગ ધરનાર પિતા અને રાજલિંગ ધરનાર પુત્ર, રઘુ અને રાઘવ, એ બે જણ લોકની દૃષ્ટિમાં લાગ્યા.
  4. ૮. અજરાજા અજિતપદના લાભ સારુ નીતિમાં કુશલ એવા મંત્રીએા સાથે મળ્યો; અને રધુ અવિનશ્વર મેાક્ષપદની પ્રાપ્તિ સારુ આપ્ત યોગીઓ સાથે મળ્યા.
  5. ૯. યુવાવસ્થાવાળા અજરાજાએ પ્રજાને જોઈ લેવા - તેમને પરિચય કરવા