પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૨
परिचेतुमुपांशु धारणां
कुशपूतं प्रषयास्तु विष्टरम् ॥ ९ ॥[૧]
अनयत्प्रभुशक्तिसंपदा
वशमेको नृपतीननन्तरान ।
अपरः प्रणिधानयोग्यया
मरुतः पञ्च शरीरगोचरान् ॥१०॥[૨]
अकरोदचिरेश्वरः क्षितौ
द्विपदारम्भफलानि भस्मसात् ।
अपरो दहने स्वकर्मणां
ववृते ज्ञानमयेन चह्निना ॥ ११ ॥ [૩]
पणवन्धुमुखान् गुणानजः
पड्डपायुङ्क्त समीक्ष्य तत्फलम् ।
रघुरप्यजयहणत्ररयं
प्रकृतिस्थः समलोष्ठकाञ्चनः॥१२॥[૪]
न नवः प्रभुराफलोदयात्
स्थिरकर्मा विरराम कर्मणः ।
न च योगविधेर्नवेतरः
स्थिरधीरापरमात्मदर्शनात ॥ १३ ॥ [૫]
  1. સારુ ધર્માસન સ્વીકાર્યું; અને વૃદ્ધ અવસ્થાવાળા રધુએ ચિત્તની એકાગ્રતાનો પરિચય કરવા સારુ વિજન દેશમાં પવિત્ર દર્ભાસન સ્વીકાર્યું.
  2. ૧૦. અજરાજાએ પોતાના સમીપવર્તિ રાજાએાને પ્રભુશક્તિરૂપ સંપત્તિથી વશ કર્યા, અને રધુએ પણ સમાધિયોગ્ય સંપત્તિથી શરીરની અંદર રહેલા પાંચ પ્રાણને વશ કર્યા.
  3. ૧૧. નવીન રાજાએ પૃથ્વીમાં શત્રુઓનાં અારંભોનાં ફળોને ભસ્મ કર્યા અને વૃદ્ધ રાજા જ્ઞાનમય અગ્નિથી પોતાનાં કર્મને બાળી દેવા પ્રવૃત્ત થયા.
  4. ૧૨. સંધિ-વિગ્રહ-યાન-આસન-દ્વેધીભાવ-આશ્રય એ છ ગુણના ફલનો વિચાર કરી, અજરાજ તેમને હાથમાં લેવા લાગ્યો; અને લોખંડમાં તથા સોનામાં જેની સમદૃષ્ટિ છે એવા રધુએ પણ પ્રકૃતિમાં રહેલા ત્રણ ગુણને હાથ કરી - વશ કરી - જીતી લીધા.
  5. ૧૩. સ્થિર જેની ક્રિયા છે એવા નવીન રાજાએ પોતાની ક્રિયાના ફલના ઉદયનું દર્શન થતા સુધી ક્રિયાનો ત્યાગ કર્યો નહી. અને સ્થિરબુદ્ધિવાળા જુના રાજાએ પરમાત્માનું સાક્ષાત્કાર દર્શન થતા સુધી યોગવિધિનો ત્યાગ કર્યો નહી.