આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
- “ઉંડા ઘા જ પડ્યા રાણીજીના મર્મમાં જો.-વ્હા૦
- “માતાપિતાનો ભક્ત તું તો રાજવી જો,
- “ધારા આંસુડાની રહી હવે ઢાળવી જો. -વ્હા૦
- "પિતામાતના ગુણો ન વીસારે પડે જો,
- "તેના અંશઅણુ જેવું ખોળ્યું ના જડે જો. -વ્હા૦
- "એવા કાળમાં વિચાર, વ્હાલા, ધર્મને જો,
- "શોધી લેની હરીઇચ્છા તણા મર્મને જો, –વ્હા૦
- "મહારાજની પ્રજા અનાથ આ બની જો,
- "તને સોંપીને સનાથ, પિતાએ, ગણી જો. – વ્હા૦
- "હવે મોહ છોડી, છોડી હર્ષશોકને, જો,
- "પુરુષ ! ધાર ધુરી રાજ્યની સદા ખભે જો. -વ્હા૦
- "માતા ને પ્રજાને શોકથી ઉદ્ધારજે જો,
- "બધે સુખ ને સમૃદ્ધિને વસાવજે જો. –વ્હા૦
- "ભ્રમર! ભમજે વને વને ફુલે ફુલે જો,
- "મધુર મધુર મધુ શોધજે ને ગુંજજે જો ! –વ્હા૦
- "ગિરિ, સાગર, અરણ્ય, ને હલેલીયો જો,
- "સધુ, સંત, ચતુર્વર્ણ, પુરુષ ને સ્ત્રીયો, જો. –વ્હા૦
- "એ તો તરસ્યાં છે સર્વ તુજ મધુ તણાં જો !
- "વાટ જુવે ત્હારી લેવાને ઓવારણાં જો. –વ્હા૦
- "રાજા ! જાગજે સજાત પ્રજાને કરી જો !
- "રાજા ! લેજે આશિષ, પ્રજા દે ઠરી જો ! –વ્હા૦
નિદ્રાયમાણ રાણીને રાજાનાં, ને રાજાને પ્રજાનાં સ્વપ્ન બીજા સંસારમાં રમાડવા લાગ્યાં.