પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭
“પ્રીતિની સાંકળો બાંધી,
“હૃદય સઉનાં લીધાં સાંધી.
“શરીર આ જે થકી જાયું,
“હૃદય આ જેશું શીવાયું,
“કરી કંઈ કંઈ કૃપા જેણે
“શિશુવય આ ભર્યું ચ્હેને,
“પિતા આ દેહના એ જે,
“પ્રભુ ! તું સુખ દે તેને.
“પિતાનો તું પિતા એક,
“દીધો જે સ્નેહને ત્હેંય
“ધરી તે સ્નેહની આણ,
“કરુંછું રંક ઉદ્રારઃ
“નથી એ સ્નેહ મ્હેં તોડ્યો,
“નથી સુતધર્મ તરછોડ્યો,
“પિતા પર ક્રોધ નથી કીધો,
“પિતા પર દ્વેષ*[૧] નથી લીધો.
“પિતાના સુખને રસ્તો
“કીધો છે માત્ર મ્હેં સસ્તો.
“પિતાના ઓ પિતા ! દેજે,
“પિતાને સુખ શાન્તિને !
“પિતાને સુખ દેવાને,
“મહા સુતધર્મ વ્હેવાને,
“પિતાને દીધું સ્વાતંત્ર્ય,
“ત્યજ્યાં પ્રીતિ-લક્ષ્મીનાં તંત્ર.
“ત્યજી એ કારણે દારા,
“હૃદયના દાહ સ્વીકાર્યા;
“પિતાના સુખને કાજે

  1. "ધ્વેખ: 'જેમ કે એને સંસાર ઉપર ધ્વેખ આવી ગયો;અન્નદ્વેષા ઈત્યાદેઇમાં સંસ્કૃત પ્રયોગ એ જ અર્થે છે."