પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૯
ધરતી રસસુન્દર કોમળતા
ફળપુષ્પ ધરે નહીં નારીલતા;
ન ખીલે રસપોષક માળી વિના–

માળી છે– પણ નિર્ધન છે–

શું સિંચે રસ માળી સ્વવિત્તવિના?”
ધનરાશિ અચેતન મુજ રહ્યા!”

પ્રિય કુમુદ ! તું તો માળી વિનાની જ રહી ! ધન છે - પણ માળી જ નથી. એ ત્હારી દુર્દશા મ્હેં કરી!

પ્રિય હોય, કુમુદ, કંઈ તું મને,
પ્રિય હોય, સુમિત્ર, કંઈ તું મને,
તમ તુલ્ય અનેક ગુણાકરના
ગુણ ખીલવું રાશિ ત્યજી ધનના!”

એના હૃદયમાં આનંદ અને ઉત્સાહનો ઉદય થયો.

શિવિરાજ તુલા પર દેહ મુકે,
કરું તે જ કથા મુજ દ્રવ્ય તણી !
નવનીત બન્યું ઉર જોઈ શકે
નહી અશ્રુભર્યા જનરત્ન ભણી.
ગૃહત્યાગ થયો મુજ સાર્થક સઉ !
દીઠ ગુપ્ત પદાર્થ સુદૃશ્ય બહુ!
ગૃહભાગી થઈ ફળભાગ હવે
દઉ દેશતણાં જનદૈવતને!

આટલું બોલી તે પૃથ્વી ઉપર પલાંઠી વાળી બેસી ગયો અને એનો ભગવો અંચળો એના શરીરની આશપાસ વેરાઈ પૃથ્વી ઉપર પથરાઈ રહ્યો. તેના ઉપર દૃષ્ટિ પડતાં એ ચમકયો, એ કવિતા ન્હાસતી લાગી અને એકદમ એ ઉભો થયો.

"સરસ્વતીચંદ્ર ! એ સર્વ અભિલાષ આ વેશને અનુચિત છે ! જે મૂર્ખતાએ ઘર છોડાવી અંહી આણ્યો તે જ મૂર્ખતાએ આજ અા દેશદશાનું દર્શન કરાવ્યું તો હવે ત્યજેલું ગૃહ પાછું સ્વીકારવું, ધનભાઈને અર્પેલું ધન પાછું લેવા ઈચ્છવું, આ લીધેલો વેશ ત્યજવો - એ તો હવે – મૂર્ખતા કે શાણપણ? અધર્મ કે ધર્મ?"