પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૮

સર્વ ચાલીઓ. તેમના મુખમાં ગોષ્ઠીના અને શ્લોકના ઉદ્‍ગાર થતા હતા.

મોહની – “દક્ષિણાનિલ જેવા મધુર યોગી !

[૧] "लवङ्गलतिकाभङ्गदयालुर्दक्षिणानिलः ।
कथमुन्मूलयत्येप मानिनीमानपर्वतान् ॥"

વામની – “રાત્રિએ જે પુરુષનું નામાદિ શ્રવણ કર્યું હતું તે આ જ યોગી છે ત્હોયે તે આ જ!

[૨] "लतां पुष्पवर्ती स्पृष्ट्वा स्त्रातो विमलवारिणा ।
पुनः संपर्कश्ङ्कीव मन्दं चरति मारुतः ॥"

આ સાંભળતાં જ ભકિતના ખભા ઉપર કુમુદે નેત્રકમળ ઉઘાડ્યાં જણાયાં. ત્યાં બંસરી ઉત્સાહમાં આવતી બોલી ;

[૩] "निसर्गसौरभोद्भ्रान्तभृङ्गसङ्गीतशालिनी।
उदिते वासराधीशे स्मेराऽजनि सरोजिनी ॥”

કુમુદને એક ખભેથી બીજે ખભે ફેરવતી ફેરવતી સામે ઉદય પામેલું સૂર્યબિમ્બ જોઈ રહી, ભક્તિમૈયા બોલી;

[૪] "क्षणमयमुपविष्टः क्ष्मातलन्यस्तपादः
प्रणतिपरमेवक्ष्य प्रीतमह्नाय लोकम् ।
भुवनतलमशेषं प्रत्यवेक्षिष्यमाणः
क्षितिधरतटपीठादुत्थितः सप्तसप्तिः ॥"

"એ સૂર્ય ક્ષિતિધરપર પાછો આવશે – મૈયા, આવશે. મધુરીને હવે મ્હારે ખભે આપો; એમ ક્‌હેતી ક્‌હેતી મોહનીએ કુમુદના શરીરને લેવા


  1. લવંગની લતાનો ભંગ કરતાં જેને દયા આવે છે એવા આ દયાળુ દક્ષિણાનિલ માનિનીના માનપર્વતનું ઉન્મુલન કેમ કરતો હશે?(પ્રકીર્ણ શ્લોક)
  2. પુષ્પવતી લતાના સ્પર્શથી અભડાઈ વિમલ જળથી ન્હાઈ, ફરીને રખે સંસર્ગ થાય એવી શંકાથી આ પવન મન્દ મન્દ ચાલે છે. (પ્રકીર્ણ)
  3. સ્વાભાવિક સુગન્ધથી આકર્ષાયેલા ભ્રમરના સંગીતની શ્રીથી શ્રીમતી કમલિની, દિવસપતિ ઉદય પામતાં, સ્મિત કરવા લાગી. (પ્રકીર્ણ)
  4. પૃથ્વીતલ ઉપર પાદ મુકી ક્ષણવાર (પર્વતતટ ઉપર) બેઠેલો આ સુર્ય, પોતાને પ્રણામ કરવામાં વ્યાપૃત થયેલા પ્રીતિથી પ્રસન્ન થયલા લોકને ઉતાવળથી જોઈ લેઈ નીચે ઉભેલા બાકીના અશેષ ભુવનતળને ઉપરથી, સામેથી, જોઈ લેવાને માટે, પર્વતના તટ ઉપરથી આ ઉઠે છે !–(પ્રકીર્ણ )