પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૦


કમુદ– બાળ્યું એ શરીર અને બળ્યો એ અન્તરાત્મા.

બંસરી– મોહની મૈયા, જેનાથી મધુરી તપ્ત થાય છે એ વિષય પડતો મુકી દે અને એને શાંતિ મળે એવો કાંઈ વિષય ક્‌હાડો.

મોહની– મધુરી, તને શો વિષય વિનોદ આપશે ?

કુમુદ– મ્હારા સંસાર ભુલી જવાય એવું ગમે તે બોલો.

“શું બોલીશું ?”– મોહની અને બંસરી એક બીજાના સામું જોઈ રહ્યાં.

“આપણા આશ્રમોનાં વર્ણન કરીશું?” મોહિનીએ પુછયું.

બંસરી– મોહની, તને મ્હારા કરતાં બે વર્ષ વધારે થયાં છે અને ઘણા દિવસથી મન્મથાવતારનું માહાત્મ્ય સમજાવવા ત્હેં મને વચન આપેલું છે તે પાળવાનો અવસર સારો છે.

કુમુદ- એ વિના બીજી વાત નથી?

બંસરી– અમ સાધુજનોમાંથી કોઈ વિહારમઠમાં ર્‌હે છે અને કોઈ પરિવ્રાજિકામઠમાં ર્‌હે છે. કોને કીયામાં ર્‌હેવાનો અધિકાર છે અને ક્યારે એ અધિકાર બંધ થાય છે કે બદલાય છે તે જાણવા ઉપર અમારી સતત દૃષ્ટિ ર્‌હે છે, અને અલખ માર્ગના ગુરુજનોએ સ્ત્રીજનની ચિન્તા રાખી મન્મથાવતારનું માહાત્મ્ય રચી રાખેલું છે. તે સર્વ સ્ત્રીયોને શાન્તિપ્રદ થાય છે. મધુરી, તું પણ તેથી શાન્તિ પામીશ.

કુમુદ– મ્હારા મનોરાગને પ્રદીપ્ત ન કરે એવી તે કથા હોય તો ભલે બોલો.

મોહની – તો બે જણ સાંભળો. બંસરી, શ્રી અલખ ભગવાનનાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, એ ત્રણ લખરૂપ છે, “હું એક છું તે અનેક થાઉં !” એ કામરૂપ બ્રહ્મા પોતેજ શાશ્વત કામ છે. સર્વસંહારક રુદ્રે એ કામ દૃષ્ટિએ પડતાં તેને ભસ્મ કર્યો, પણ તે અનંગ થઈ અમર રહ્યો. ઉત્પત્તિ અને લયના કારણભૂત લખસ્વરૂપને આમ વશ ન થયો તે કામને જગતસ્થિતિના કારણરૂપ શ્રીયદુનંદને પોતાને ત્યાં પુત્ર કરી, જન્મ આપ્યો અને આજ્ઞાવશ રાખ્યો તે પ્રદ્યુમ્નરૂપે રહ્યો. બ્રહ્મારૂપે કામદેવ જાતે ઈશ્વર છે. શંકરે તેના દેહને બાળ્યો પણ તેના આત્માની અમરતાને વશ થઈ પાર્વતીને પરણી હાર્યા. તેને જીતનાર એક – શ્રીયદુનન્દન – તેનાં મન્દિરમાં મન્મથનો અવતાર થયો. સમજી?

બંસરી- ના.

મોહની- સંસારનું પોષણ કરવું તે વિષ્ણુની પ્રવૃત્તિ. એ દેવના ભક્તોએ