પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચંદ્રા૦- પણ નવીનચંદ્રને વિરક્ત જોઈ મધુરીને દુઃખ થયું કોઈએ પ્રત્યક્ષ કર્યું નથી.

મોહની– તરસ્થાન આગળ તો અશ્રુધારા વ્હેતી હતી - આ વેશ તે એણે પ્રથમ ત્યાં જ જોયો.

ભક્તિ૦– અને આપણી મઠની યોજના અને વિહારમઠની યોજના જાણી તેને આશા થઈ હોય તેમ એનો શોક કંઈક શાંત છે.

ચન્દ્ર૦- વૈરાગ્યનું માહાત્મ્ય જાણીને પણ એવી શાંતિ એને વળી હોય. એના જેવા સંપ્રત્યય નવીનચંદ્રજીની વિરક્ત દશાને ધન્ય ગણી એના પોતાના સ્થૂલ કામને વિરક્ત કરે અને પ્રિયજનની વિરકત દશાનું રક્ષણ કરે એ પણ સંભવિત છે.

મોહની– તે જે હો તે હો. પણ આ હરિણનું જોડું તૃષિત હોય ને આ ગિરિરાજ ઉપર તૃષાથી વિપન્ન થાય તે તો અયોગ્ય જ. જો આપણે વિલમ્બ કરીશું તો કંઈ મહાન્ અનર્થ થશે અને વેળા વીત્યા પછી આપણને પશ્ચાત્તાપ થવાનો વારો આવશે કે

[૧]"मध्यान्हे दववन्हिनोष्मसमये दंदह्यमानाद्निरेः
कृच्छ्रन्निर्गतमुत्तृषं जलमयो वीक्ष्यैकरक्षाक्षमम् ।
प्रेम्णा जीवौयितुं मिथः पिव पिवेत्युञ्चार्य मिथ्या पिवन्
निर्मग्नास्यमपिरर्वारे हरिणद्वन्द्वं विपन्नं वने ॥"

ભક્તિ૦– ચક્રવાકમિથુનને રાત્રિનો અન્તરાય છે તે તોડી નાંખો અને પરપસ્પરનો દૃષ્ટિયોગ અને ગોષ્ઠીયોગ અબાધિત થાય એટલો યોગ કરાવવો એટલું તે આપણું કર્તવ્ય ખરું. પછી પરિશીલનને અંતે તેઓ વિરક્ત હશે તો અસંયુકત ર્‌હેશે અને રક્ત હશે તે સંયુકત થશે. એ તો સર્વ અલખ ભગવાન્‌ની યોજના હશે તે ફળ થશે. આપણો ધર્મ સ્પષ્ટ છે.


  1. ૧. મધ્યાન્હ કાળ થયો છે અને એ તાપની વેળાએ પર્વત દવના અગ્નિથી ભડભડાટ બળે છે તેમાંથી હરિણહરિણીનું જોડું મહાપ્રયત્ને નીકળી શક્યું અને તૃષાનું માર્યું એ જોડું જળ આગળ આવ્યું પણ જળ તે એકજ જણનીરક્ષા કરી શકે એટલું હતું. આ બેમાંથી આ જળ કેાણે પીવું? આણે જાણ્યું કેએ જીવે ને એણે જાણ્યું કે આ જીવે. એમ પ્રીતિથી પોતાના જીવની ઉપેક્ષા કરી અને સામાનું જીવન ઇચ્છયું. પોતપોતાના મનમાં આમ ધારી, નરઅને માદા પાણીમાં ખોટું ખોટું મ્હોં બોળી રહ્યાં અને “તું પી, તું પી.” એમએકબીજાને માત્ર ક્‌હેવા લાગ્યાં. તેનું ફળ એ થયું કે બેમાંથી કોઈએ પાણી પીધું નહી અને પ્રેમી જોડું - રંક હરિણનું જોડું - વનમાં મરી ગયું. (પ્રકીર્ણ)