આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
- "[૧]यट्टीचीभिः स्पृशसि गगनं यच्चपातालमूलम्
- रत्नैरुद्दीपयसि पयसा यत्पिधत्से धरित्रीम् ।
- धिक् सर्वं तत्तव जलनिधे यद्विमुच्याश्रुधाराः
- तीरे नीरग्रहणरसिकेनाध्वगेनोझ्झितोऽसि ॥
- "[૧]यट्टीचीभिः स्पृशसि गगनं यच्चपातालमूलम्
“સર્વ સાધુસ્ત્રીઓ તમારી સૂક્ષ્મ માનસિક પ્રીતિનો જ ફ્લોદય ઇચ્છે છે. સ્થૂલ પ્રીતિનો વિચાર તેમનાં હૃદયમાં લઘુમાત્ર છે. હે રાજહંસ ! તમે માત્ર અશરીર માનસપ્રીતિના માનસ સરોવરની જ કમલિનીને જ તમારા સૌહૃદથી સનાથ કરો તો તેટલું બસ છે. પરિવ્રાજિકામઠની અધિષ્ઠાત્રી તમને ક્હાવે છે કે.–
- "[૨]कच्चिदेव समयं समागतं
- त्वां न विस्मरति शश्वदम्बुजम् ॥
- मानसे विहर हंस मानसे
- मा विमुञ्च पुनरस्य सौहृदम् ।।
- "[૨]कच्चिदेव समयं समागतं
“વિહારમઠની અધિષ્ઠાત્રી અનેક તંત્રોના વિચાર કરી નિર્ણયપૂર્વક ક્હાવે છે કે–સંસારમાં પરમ અલખના અસંખ્ય લખ ખેલોમાંથી તમને જે આશય પ્રિય હશે તે રમણીય જ હશે. તમારું અલખ બોધન અને લખ તૃપ્તિ ઉભય રમણીય જ થયાં. તો પણ મધુરીની માનસ પ્રીતિ વિના ન્યૂનતા છે.
- "[૩]सैव सेव सरसी रमणीया
- यत्र यत्र वलते तव रागः ।
- राजहंस रसिक स्मरणीया
- श्रीमता तदपि मानसकेलिः ॥
- "[૩]सैव सेव सरसी रमणीया
- ↑ ૧. મોજાવડે તું ગગનનો સ્પર્શ કરે છે, રત્નો વડે તું પાતાળને પ્રકાશિતકરે છે, અને ધરતીનું તું આચ્છાદન કરે છે; ત્હારા એ સર્વ પરાક્રમને ધિક્કાકાર છે-કારણ પાણી લેવાનો રસીયો પ્રવાસી ત્હારા તીર ઉપર અાંસુની ધારાઓ મુકી ત્હારો ત્યાગ કરે છે (પ્રકીર્ણ).
- ↑ ર. હે હંસ ! માત્ર થોડો સમય અા કમળને ત્હારો સમાગમ થયો હતો;તેટલામાં તો નિત્ય કાળ સુધી તે તને ભુલતું નથી, માટે માનસ (સરોવર)માં વિહાર કર - રે – માનસમાં વિહાર કર, પણ આવી મિત્રતાનો ત્યાગન કરીશ. ( પ્રકીર્ણ).
- ↑ ૩. જેના જેના ભણી ત્હારી પ્રીતિ વળે છે તે તે જ સરસી (સરોવ૨)રમણીય છે; તો પણ હે રસિક રાજહંસ, તું શ્રીમાન્ છે. તેણે માનસક્રીડાસ્મરવી જોઈયે છીયે. ( પ્રકીર્ણ )