અલક્ષ્ય રહે છે અને તેની સામગ્રી સૂક્ષ્મ હોય છે, સંસારના યજ્ઞ ઘણું
ખરું સકામ હોય છે અને નિષ્કામ હોય છે ત્યારે પણ પોતાના
કલ્યાણને જ માટે હોય છે, દેહના કલ્યાણને માટે હોય છે કે પોતાના
જીવના કલ્યાણને માટે હોય છે અને લોકનું કલ્યાણ એ તો માત્ર
આ આત્મકલ્યાણનું સાધન જ હોય છે. પિતા, પુત્ર, વગેરે સર્વ
પદાર્થો તો શું પણ બ્રહ્મ જાતે પણ આત્માના જ કામને માટે પ્રિય
છે એવું યાજ્ઞવલ્કય-વચન[૧] આ સંસારીયોનાં જ હૃદયને માટે છે.
સાધુજનોનાં હૃદયમાં તો આત્માને માટે પણ કામ નથી અને
અનાત્માને માટે પણ નથી. તેમના ધર્મ તો કેવળ નિષ્કામ લોકકલ્યાણાર્થ
યજ્ઞરૂપ જ છે. ધર્મ જગતનું ધારણ કરે છે, અને ધર્મનું
ધારણ પરમાત્મ પરમ અલક્ષ્યનું લક્ષ્યસ્વરૂપ પોતે કરે છે, માટે
જ એ લક્ષ્યસ્વરૂપ લક્ષ્ય પુરુષરૂપનાં ધારેલા ધર્મયજ્ઞની અંશભૂત
જ્વાળાઓ જેવા યજ્ઞોને સાધુઓનાં જીવસ્ફુલિંગ રચે છે, જે સંસારના
મૂળ પાસે બ્રહ્માને, અને મુખ પાસે શિવને, નામે ઈશ્વરનાં રૂપ
હિમાચળ અને સમુદ્ર જેવાં ગણેલાં છે તે બે વચ્ચેની સંસારગંગાના આખા
પ્રવાહને પાળનાર એ જ ઈશ્વરનું વિષ્ણુનામે અભિમાન રાખી આ
મઠ તેને પૂજે છે. એ આભિમાનિકી પ્રીતિને પાત્ર લક્ષ્ય પુરુષ વિષ્ણુ
પરમાત્મા સંસારમાં વ્યાપી રહી સંસારના ધર્મનું પાલન કરે છે."
“ એ પરમ પુરુષ જાતે જ યજ્ઞરૂપે પ્રજ્વલમાન થાય છે અને આર્યોનો સનાતન ધર્મ એમાંથી જ પ્રભવ પામે છે."