પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૩


“અને ચતુર્થાશ્રમનેવિષયે તે ક્‌હે છે કે તૃતીયાશ્રમ પુરો કરી ચતુર્થ લેવો, અને તે લેવાનો અધિકાર અનધિકાર વિચારતાં ક્‌હે છે કે -

[૧]"ऋणानि त्रीण्यपाकृत्यं मनो मोक्षे निवेशयेत् ।
अनपाकृत्यं मोक्ष तु सेवमानो व्रजत्यधः॥

“અન્ય આશ્રમોમાંથી પણ પરભાર્યો ચતુર્થાશ્રમ લેવાનો માર્ગ જાબાલશ્રુતિ દર્શાવે છે કે–

[૨]"ब्रह्मचर्यं समाप्य गृही भवेद्रुही भूत्वा वनी भवेद्वनी भूत्वा प्रव्रजेदितरथा ब्रह्मचर्यादेव प्रव्रजेन्दृहाद्वा वनाद्वा ॥

“ગૃહસ્થને ત્યાગી થવાનો અધિકાર ત્રણ ઋણમાંથી મુક્ત થયા વિના નથી મળતો એ કહ્યું. બ્રહ્મચારીને અને વનસ્થને એ અધિકાર મેળવવાનો માર્ગ મનુ જ ક્‌હે છે કે–

[૩]"प्राजापत्यां निरुप्योष्टिं सर्ववेदसदक्षिणाम् ।
"आत्मन्यग्नीन् समारोप्य ब्राह्मणः प्रव्रजेद्रुहात् ॥
"यो दत्त्वा सर्वभूतेभ्यः प्रव्रजत्यभयं गृहात् ।
"तस्य तेजोमया लोका भवन्ति ब्रह्मवादिनः ॥

“આ સર્વ વાકયોમાં વાનપ્રસ્થ તેમ સંન્યાસને માટે અધિકાર કહેલા છે તેમાંથી ગમે તે રીતે ગમે તે દ્વારે આ યુગનો મનુષ્ય એ બેમાંથી એક આશ્રમનો અધિકારી થાય તે આપણા મઠનો અધિકારી થાય, એમાં તો નવાઈ જ નથી. પણ કેવળ બ્રહ્મચારી પણ નિરહંકાર અને નિર્મળ હોય તો અધિકારી થાય છે. પણ આમાંના કેટલાક વિષયમાં અંહીનો સંપ્રદાય ભિન્ન છે. જેમ કે ગૃહસ્થ ત્રણ ઋણમાંથી અનૃણી


  1. ૧.ત્રણ ઋણ એટલે દેવામાંથી મુકત થઈ પછી મોક્ષમાં મન કરવું એમ મુકત થયા વિના જે મોક્ષનું સેવન કરે છે તે અધોગતિ પામે છે. મનુ.
  2. ૨.બ્રહ્મચર્યને સમાપ્ત કરી ગૃહી થવું, ગૃહી થઈ વની એટલે વાનપ્રસ્થ થવું, વની થઈ પ્રવ્રજિત થવું, અથવા બ્રહ્મચર્યમાંથી, ગૃહમાંથી, કે વનમાંથી પ્રવ્રજિત થવું.
  3. ૩.સર્વ વેદોવડે દક્ષિણા સહિત પ્રાજાપત્ય યજ્ઞનું નિરૂપણ કરી અને અગ્નિઓનું આત્મામાં સમારોપણ કરી, બ્રાહ્મણે ગૃહમાંથી પ્રવ્રજિત થવું. સર્વ ભૂતોને દાન કરી દેઈ ભયવિના ગૃહમાંથી જે બ્રહ્મવાદી પ્રવ્રજિત થાય છે તે તેજોમય લોકને પામે છે: મનુ.