આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
“My lord ! આ તો તરંગશકરનું કાવ્ય - કુમુદને જ આપેલું તે
કુમુદવિના બીજું કોણ ગાય ? પણ હું આ સ્થાને છું તે શું એને ખબર
નહી હોય ?” સરસ્વતીચંદ્રના વિચાર ગાનની કડીએાએ અટકાવ્યા.
- “દીવા જેવું પણે દેખાય,
- “જવા ત્યાં મુજ મન લલચાય;
- “ત્યાં તે ર્હેતા હશે કોક સંત,
- “મ્હારા દુ:ખનો આણશે અંત.
- “જોગીરાજ ! એ વાટ બતાવો;
- “દયા એટલી મુજ પર લાવો.”
સર૦- “નક્કી ! આ સંબોધન મને તો નથીજ કર્યું ચાલો, હવે એ સંબોધનને ઉત્તર મળશે.”
સ્વર વાધ્યો.
- “જોગી બેાલ્યા:“ બેટા, રખે જાતો,
- “એણીપાસ રખે લલચાતો;
- “એ તો ભૂતનો ભડકો જાણ,
- “બોલાવે ને કરે પછી હાણ.
- “ભુખ્યાંતરસ્યાંને આદર આપે,
- “લુંખું સુકું મળે તે જમાડે,
- “એવી આ છે ગુફા મુજ રંક;
- “બેટા, તેમાં તું આવ નિઃશંક.
- “ફળ ને વણખેડેલું ધાન,
- “શય્યા કાજ કુંળાં ધાસપાન,
- “રુડાં ઝરણનું નિર્મળ પાણી,
- “સુખ, શાન્તિ, ને આનંદવાણી:–
- “એવું અક્ષયપાત્ર છે અંહી,
- “હરિ પ્રત્યક્ષ થાય છે અંહી.
- “બેટા, એવા આશ્રમમાં તું આવ્યો,
- “ગયો સમજ ચિન્તાતણો વારો.”
”હું ઇચ્છું છું કે હું તને એવો જ બોધ આપી શકું ! ” સરસ્વતીચન્દ્ર બોલ્યો; ગાનતો ચાલ્યું જ.