આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
- 'કથા ગોષ્ટી કંઈ કંઈ ક્હાડે,
- 'બોધ આપે ને શાંતિ પમાડે.
- 'અન્ન મધુરું જમે ને જમાડે,
- 'એ પર અતિથિને સંચિ કરાવે.”
“કુમુદ ! કુમુદ ! પઞ્ચમહાયજ્ઞનો ઉપદેશ સાંભળ્યા પછી આતિથેય ધર્મના આટલા આવા મધુર વિધિ તું મને બતાવતી નથી તો કોને બતાવે છે ? કુમુદ, દુ:ખી પ્રવાસી કુમુદ, સાધુજનોનું આતિથેય તને શાંતિ પમાડી શક્યું નથી જ ! નક્કી, આ નવો ધર્મ મ્હારે શિર ઉદય પામે છે – પણ –” સરસ્વતીચંદ્ર એટલું મનમાં બોલ્યો પણ કાન તો ઉઘાડા જ હતા તેમાં કુમુદના સ્વર જતા અટક્યા નહીં.
- 'પંથી ખાધું ન ખાધું કરે છે,
- 'પંથ શુંણ્યું ન શુંણ્યું કરે છે,
- 'ઉંડા વિચારમાં પડી જાય,
- 'ગાલે ઉતરે છે આંસુની ધાર.”
સરસ્વ૦– શું ત્હારી આ દશા છે ? ઉત્તરમાં ગાન જ વાધ્યું.
- 'એની દેખી દશા એવી જોગી,
- 'દયા આણી થયા દુ:ખભોગી.
- 'અન્ન પડતું મુકી પાસે આવ્યા,
- 'ફરી ફરી વળી પુછવા લાગ્યા:–
- "બોલ, બેટા, તને શું થાય ?
- "ત્હારે હઈયે શાનો પડ્યો ઘા ય ?
- "ઘરનો વૈભવ ત્યજી અંહી આવ્યો ?
- “એાછું આવ્યું કે કોઈએ ક્હાડ્યો ?
- “દગો દીધો કે મિત્રે શું, ભાઈ?
- “મળી કઠણ હૃદયની શું નારી?
- “બેટા, વાત વિચાર તું સાચી,
- “માયા સંસારની બધી કાચી,
- “ક્હાવે લક્ષ્મી તો ચંચળ નારી,
- “ન્હાસી જાય, દઈ હાથ તાળી;