આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કુમુદ૦– સૂક્ષ્મ પ્રીતિના અદ્વૈતમાં દૃષ્ટિનાં તેમ શક્તિનાં સંવેદન પણ
અદ્વૈત પામે છે.
સર૦– એ પ્રીતિની પરિપાકદશાનું ફળ થાય છે.
કુમુદ૦- હું એ દશાની વાટ જોઈશ.
સર૦– તમે તે જોવા અધિકારી છો.
કુમુદ૦– આપણી પ્રીતિનાં આદિકાળમાં આપે જે વચનામૃત મ્હારા હૃદયમાં મ્હારાથી જીરવાય એવું કરી રેડ્યું હતું તે જ વચનામૃતના અનુભવનું અત્યારે આસ્વાદન કરું છું. પ્રિય ચન્દ્ર ! તમે જે રસધર્મ સમજાવ્યા તેના દાનથી તમારા મનની ને તેના ગ્રહણથી મ્હારા મનની શાન્તિ અને તૃપ્તિ દેખાય છે તે તે વચનામૃતના અનુભવનો સ્વાદ આપે છે.
સર૦– કીયું તે વચન ?
કુમુદ૦- તે કહું -
- “Our feet now, overy palm,
- “ Are sandalled with calm,
- "And the dew of our wings is a rain of balm;
- “And beyond our eyes
- “The human love lies
- “Which makes all it gazes on paradise.”[૧]
"માત્ર ભૂતકાળનું સ્મરણ થાય છે ત્યારે આ શાન્તિ ભગ્ન થાય છે."
સર૦– तरति शोकमात्मवित् એ શ્રુતિનો યથાર્થ અવબોધ આ શન્તિના વર્ષાદને વરસાવે છે તેનો અભિષેક તમે પણ અનુભવશો ને ઇંગ્રેજીમાં પણ એ જ કવિ માર્ગ દર્શાવે છે કે–
- “To suffer woes which hope thinks infinite:
- “To forgive wrongs darker than death or night;
- “ To defy Power which seems omnipotent; .
- “To love and bear; to hope till hope creates .
- “From its own wreck the thing it contemplates;
- “Neither to change, nor falter, nor repent;
- “This, like thy glory, Titan, is to be
- ↑ ૧. Shelley's Prometheus Unhound.