પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩૮


કુમુદ૦– સૂક્ષ્મ પ્રીતિના અદ્વૈતમાં દૃષ્ટિનાં તેમ શક્તિનાં સંવેદન પણ અદ્વૈત પામે છે.

સર૦– એ પ્રીતિની પરિપાકદશાનું ફળ થાય છે.

કુમુદ૦- હું એ દશાની વાટ જોઈશ.

સર૦– તમે તે જોવા અધિકારી છો.

કુમુદ૦– આપણી પ્રીતિનાં આદિકાળમાં આપે જે વચનામૃત મ્હારા હૃદયમાં મ્હારાથી જીરવાય એવું કરી રેડ્યું હતું તે જ વચનામૃતના અનુભવનું અત્યારે આસ્વાદન કરું છું. પ્રિય ચન્દ્ર ! તમે જે રસધર્મ સમજાવ્યા તેના દાનથી તમારા મનની ને તેના ગ્રહણથી મ્હારા મનની શાન્તિ અને તૃપ્તિ દેખાય છે તે તે વચનામૃતના અનુભવનો સ્વાદ આપે છે.

સર૦– કીયું તે વચન ?

કુમુદ૦- તે કહું -

“Our feet now, overy palm,
“ Are sandalled with calm,
"And the dew of our wings is a rain of balm;
“And beyond our eyes
“The human love lies
“Which makes all it gazes on paradise.”[૧]

"માત્ર ભૂતકાળનું સ્મરણ થાય છે ત્યારે આ શાન્તિ ભગ્ન થાય છે."

સર૦– तरति शोकमात्मवित् એ શ્રુતિનો યથાર્થ અવબોધ આ શન્તિના વર્ષાદને વરસાવે છે તેનો અભિષેક તમે પણ અનુભવશો ને ઇંગ્રેજીમાં પણ એ જ કવિ માર્ગ દર્શાવે છે કે–

“To suffer woes which hope thinks infinite:
“To forgive wrongs darker than death or night;
“ To defy Power which seems omnipotent; .
“To love and bear; to hope till hope creates .
“From its own wreck the thing it contemplates;
“Neither to change, nor falter, nor repent;
“This, like thy glory, Titan, is to be

  1. ૧. Shelley's Prometheus Unhound.