પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭૭


આ વિષની તીવ્રતાથી ઢળી પડે છે ને તેમની પ્રીતિની સૃષ્ટિ વરાળ જેવી થઈ કંઈક ઉઠી જતી હું દેખું છું. સટે પ્રીતિનાં અનભિજ્ઞ બાળકોને પરણાવવા માતાપિતાઓનાં હૃદય કુદકારા મારે છે. અહો ! વિષ અનેકધા લીલું છમ જેવું થાય છે ને સંસારના શરીરને આટલી હાનિ પ્હોચાડે છે અને તે જ વિષ પેલા સ્થૂલ થઈ જતા સંસારના દેહની ભ્રષ્ટ થઈ જતી પ્રીતિની અનાચાર ભરેલી નસોમાં વ્યાપી જાય છે ને એ શરીરનો સમૂળો નાશ કરે છે! આહા! ધૈર્ય, સ્થૈર્ય, ચાતુર્ય, અને વીર્યવાળા વૈદ્યોનું કામ કરવા મંડી જતા નાગલોક ચારે પાસના સંસારને ઝાપટે છે, જેને તેને દંશ દેછે, અને એ સંસારની નસોમાં વ્હેતું, માંસરુધિરમાં ભરાયલું, અને વાત-પિત્ત-કફને દુષ્ટ કરનારું સર્વ રોગ - વિષ પોતાના લીલા વિષવડે નષ્ટ કરી દે છે ને આ રોગી દેશના રોગી લોકમાં નવી જાતનું આરોગ્ય ને નવું બળ આપે છે. કુમુદ ! ત્હારા સ્પર્શમણિની શક્તિથી નાગલોકના વિષમાં પણ આવું સુન્દર ફળ દેખાય છે.

કુમુદ૦– સ્વામિનાથ ! આપણામાં પણ કંઈક એવા જ રોગ દેખીને જ નાગલોકે આ વિષવૃષ્ટિ આપણા ભણી કરી દેખાય છે !

સર૦– એમજ !

બે જણના હૃદયમાંથી આ ઉદ્ગાર થયા તેની સાથે જ રત્નરાશિમાંથી મધુર અને ગમ્ભીર સ્વર નીકળવા લાગ્યો, અને કુમુદના હાથમાંનાં રત્ન પણ દિવ્ય વાણી વડે તેમાં ભળવા લાગ્યાં.

“સાત્વિક દૃષ્ટિનાં અધિકારી માનવીઓ ! જે માનવી પારકા ગુણ અને પોતાના દોષ દેખી શકે છે તે આવી દૃષ્ટિનાં અધિકારી છે. તમે તેવો