આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
- શબ સમી, ગયા યુગ કંઈ વહી ! ”
કુન્તી-::"મુકી તને, મુકી સર્વે ભાઈને,
- શરીરી, સંચર્યો ધર્મ જો ઉંચે;
- કુરુતણે કુળે ધર્મ જે ત્યજે;
- જીવી જીવી ઘણું તે અંહી ઝુરે !”
પાગ્ચાલી-::“સ્મરણમાં નથી આવતો મને
- “કદીય તેમનો કંઈ અધર્મ જે !
- ક્રૂર સભા વીશે તેજ સંયમે
- સુરસમા જ જે શું અધર્મી તે ?[૧]
કુન્તી–::“દીકરી, ડાહી તું; ધર્મની ગતિ
- ભુલી ગઈ કંઈ હઈશ તું રતિ;
- કંઈ ભુલ્યા હશે બન્ધુ ચાર એ;
- ટચલી આંગળી ખોઈ ધર્મીયે. ”
પાо-::“ નથી ખમાતું આ સ્તન્યપાન જે,
- વળગી પાસ બે દુષ્ટ આ કરે"
- સુત જ હોત જો પાંચ જીવતા,
- ધરત મુંજશું આ સમે દયા.”
કુન્તી–::“ દીકરી, ડાહીં તું ! ધર્મની ગતિ,
પા૦--::“મુજ સુતો હણ્યા શત્રુ બ્રાહ્મણે,
- વળગી પાન એ સ્તન્યનું કરે !
- ↑ ૧. દુર્યોધનની ક્રૂર સભામાં પાઞ્ચાલીનાં વસ્ત્ર હરણને કાળ ધર્મરાજાનીઅાંખ ઉપરથી તેમની આજ્ઞા સમજી જઈ, બાકીના ચાર ભાઈએાએ ક્રોધવશ રાખ્યો અને પેાતાની પરાક્રમશકિતરૂપ તેજનો સંયમ કર્યો - પોતાનુંસર્વ બળ, યુદ્ધનાં સાધન, અને રાજ્ય સંપત્તિ પોતાના હાથમાં છતાં માત્રધર્મરાજાની ઇચ્છાને વશ રહી, પોતાનું પરાક્રમ બતાવતાં અટક્યા - એવાધર્મીઓને અધર્મી કેમ ક્હેવા ?”
- ↑ ર. કપિ, વાનર,
- ↑ ૩. અર્જુન.